Ashadhi Bij Darshan : દ્વારકા મંદિરના દર્શને જવાનું હોય તો આટલો ફેરફાર જાણી લેજો
દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે આવતીકાલે અષાઢી બીજે હર્ષોલ્લાસથી રથયાત્રા દર્શન યોજાશે. અષાઢી બીજના પાવન દિવસે મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે 1 જૂલાઇના રોજ અષાઢી બીજના દિવસે દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં આ મુજબ ફેરફાર રહેશે. દ્વારકાધીશ જગત મંદિરમાં સવારના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. જ્યારે સાંજે 5 થી 7 દરમિયાન રથયાત્રાના ઉત્સવ દર્શન યોજાશે. ત્યાર બાદના દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશેે. રથયાત્રાના ખાસ ઉત્સવ દર્શનનો લાભ લેવા ભક્તોને પૂજારી પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવા આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST