Ashadhi Bij Darshan : દ્વારકા મંદિરના દર્શને જવાનું હોય તો આટલો ફેરફાર જાણી લેજો

By

Published : Jun 30, 2022, 6:27 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

thumbnail

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે આવતીકાલે અષાઢી બીજે હર્ષોલ્લાસથી રથયાત્રા દર્શન યોજાશે. અષાઢી બીજના પાવન દિવસે મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે 1 જૂલાઇના રોજ અષાઢી બીજના દિવસે દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં આ મુજબ ફેરફાર રહેશે. દ્વારકાધીશ જગત મંદિરમાં સવારના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે. જ્યારે સાંજે 5 થી 7 દરમિયાન રથયાત્રાના ઉત્સવ દર્શન યોજાશે. ત્યાર બાદના દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશેે. રથયાત્રાના ખાસ ઉત્સવ દર્શનનો લાભ લેવા ભક્તોને પૂજારી પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવા આવ્યું છે.

Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.