જામનગરમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી કરાઈ
જામગનગઃ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે જામનગર શહેરમાં તમામ 16 વોર્ડમાં તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અટલ બિહારીએ લખેલી કવિતાઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું, સાથે સાથે કાર્યકર્તાઓએ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જીવન કાર્યને યાદ કર્યા હતા. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેર પ્રમુખ તથા જિલ્લા પ્રમુખની આગેવાનીમાં જુદી-જુદી જગ્યાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.