ETV Bharat / state

મોદીના પોગ્રામને લઈને લેપ્રેસી ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ, આ બાદ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર

author img

By

Published : Oct 28, 2022, 5:31 PM IST

વડોદરામાં આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં તેઓ IAF ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને તેઓ છેલ્લા ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી સંબોધન કરશે. આ બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એવી શક્યતા છે.

મોદીના પોગ્રામને લઈને લેપ્રેસી ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ, આ બાદ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર
મોદીના પોગ્રામને લઈને લેપ્રેસી ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ, આ બાદ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર

વડોદરા આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી IAF ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું (IAF Transport Aircraft Manufacturing Plant) ખાતમુહૂર્ત કરશે. વડોદરાના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) પહેલાં વડાપ્રધાન મોદી છેલ્લી વખત ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

.30 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

મોદી ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને કરશે સંબોધન 30 ઓક્ટોબર 2022થી પહેલી નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે. આ ઉપરાંત તેઓ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને (BJP Sneh Milan programme) પણ સંબોધન કરશે. તેમના પ્રવાસ બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર (Assembly elections announced in Gujarat) થાય એવી શક્યતા છે. 30મી ઓક્ટોબરે વડાપ્રધાન દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. એમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાતમુહૂર્ત કરશે.

સભા સ્થળની તૈયારીઓ હાલ પુરજોશમાં વડોદરાના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ એર કૂલ્ડ ડોમ આજવા લેપ્રસિ મેદાન ખાતે તૈયાર કરવામાં આવ્યો છે, તો બીજી તરફ વીજળ પ્રવાહ ના જાય તે માટે મેદાન માજ ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે ઉદ્યોગકારો સાથેની બેઠક દરમિયાન કોઈ સરભરામાં કોઈ કચાસ ન રહે તે માટેના ખાસ આયોજનો કરવા આવી રહ્યા છે. જ્યારે ડોગ કોડ અને બોમ સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સભા સ્થળની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી છે.

એરપોર્ટથી સભા સ્થળ સુધી બેરીકેટ જ્યારે મોદી વડોદરા એરપોર્ટથી જો રોડ શો કરે તો તેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં એરપોર્ટથી સભા સ્થળ સુધીના અંદાજિત 3 કિલોમીટર સુધીના વિસ્તારની એક તરફ બેરીકેટ કરવામાં આવી રહ્યા છે. ખરેખર આ બેરીકેટ મોદીના રોડ શોની તૈયારીઓ માટે છે કે પછી આગમન દરમિયાન રોડ પર કોઈ પશુ ના આવી જાય. તેની સાવચેતી માટે છે તે કહેવું મુશ્કેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.