ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં કોરોના સામે લડવા 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે

author img

By

Published : Apr 10, 2020, 10:04 AM IST

સમગ્ર વિશ્વ સાથે ભારત અને ગુજરાતમાં પણ કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

સુરેન્દ્રનગરમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે
સુરેન્દ્રનગરમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે

સુરેન્દ્રનગરઃ સમગ્ર વિશ્વ સાથે ભારત અને ગુજરાતમાં પણ કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે,ત્યારે વહીવટી અને આરોગ્ય તંત્રની સતર્કતાને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. શંકાસ્પદ કેસના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે
સુરેન્દ્રનગરમાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે

સરકારની સૂચના મુજબ શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વાઇરસના દર્દીઓ માટે સ્પેશયલ કોવીડ હોસ્પિટલ તૈયાર થઇ રહી છે. જેમાં ખાસ સુવિધા ધરાવતો 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેની મુલાકાતે સુરેન્દ્રનગરના સાસંદ મહેન્દ્ર મુજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, કલેક્ટર કે રાજેશ, નગરપાલિકાના પ્રમુખ વિપીન ટોળીયા, સિવિલસજૅન નિરજ રાવલ સહિત અધિકારઓએ મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટર કે રાજેશએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.