ETV Bharat / state

વરાછા બેંકે એક જ દિવસમાં 200થી વધુ ખાતેદારોને આત્મનિર્ભર લોનની ચૂકવણી કરી

author img

By

Published : Jun 11, 2020, 12:54 PM IST

કોરોના સંકટમાં આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા સામાન્ય માણસને બેઠા કરવા ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો પ્રારંભ થયો છે. સુરતની વરાછા કો-ઓપરેટિવ બેંક તરફથી પ્રથમ જ દિવસે 200 થી વધુ ખાતેદારોને કુલ 1.5 કરોડથી વધુ લોન ચૂકવણી કરી યોજનાની ખરા અર્થમાં શરૂઆત કરી છે. કોરોના સંકટ અને લોકડાઉનના કારણે સામાન્ય શ્રમિક અને નાના સ્વરોજગાર વાળા ધંધા-વ્યવસાય ત્રણ મહિનાથી ઠપ છે. ત્યારે તેમને ટેકો આપવા ગુજરાત સરકાર તરફથી યોજનાની જાહેરાત કરી હતી.

Varachha Bank
વરાછા બેંક

સુરત: ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો પ્રારંભ થયો છે. ત્યારે વરાછા બેંકના ચેરમેન કાનજી ભલાડાએ જણાવ્યું હતું કે, ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે કે, જ્યાં સામાન્ય લોકોને 6 ટકા વ્યાજ સબસીડીવાળી માત્ર 8 ટકા લોન આપવાની આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના છે.

varachha bank
વરાછા બેંકે એક જ દિવસમાં 200થી વધુ ખાતેદારોને આત્મનિર્ભર લોનની ચૂકવણી કરી

વરાછા બેંકએ પ્રથમ જ દિવસે 200થી વધુ જરૂરીયાત મંદ પરિવારોને દોઢ કરોડથી વધુ રૂપિયાની લોન આપી છે. સરકારે જે હેતુથી આ યોજના જાહેર કરી છે, તેમાં વરાછા બેંક એક ફરજ સમજી બની શકે તેટલા વધુ લોકોને ઉપયોગી થવાનો પ્રયાસ કરશે. વરાછા બેંક એ આત્મનિર્ભર ગુજરાત યોજનાની સાથે જ 9 ટકાની કોરોના ફાસ્ટ લોન યોજના ચાલુ કરી છે. જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 50 હજારની 468 લાભાર્થીઓને 2.34 કરોડની લોન આપી દીધી છે. જેમાં પણ છ માસ મોરેટોરિયમ પિરિયડ આપેલ છે.

વરાછા બેંકે એક જ દિવસમાં 200થી વધુ ખાતેદારોને આત્મનિર્ભર લોનની ચૂકવણી કરી

જયારે આત્મનિર્ભર લોન મેળવનાર રમેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, તેઓ બૅનર પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે, 1 લાખની લોન મળતાં રાહત મળી છે અને વ્યવસાય માટે સાધન સામગ્રી ખરીદવા માટે ઉપયોગી બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.