ETV Bharat / state

Antisocial elements: સુરતના જૈન ઉપાશ્રયમાં કેટલાક યુવાનો દ્વારા સાધ્વી મહારાજની ઠઠ્ઠામશ્કરી

author img

By

Published : Mar 12, 2022, 3:30 PM IST

ઉપાશ્રયમાં કનડગત કરવામાં આવે છે એક ઉપાશ્રયના બારીના કાચો તોડી નાખવામાં આવ્યાં હતાં. ઉપાશ્રયના પગથિયાં તોડી ખૂબ જ ઘોંઘાટ કરી ત્યાં ટોળામાં બેસી (Antisocial elements)આવતા જતા સાધ્વી મહારાજની ઠઠ્ઠામશ્કરી પણ કરવામાં આવી રહી છે.

જૈન ઉપાશ્રયમાં કેટલાક યુવાનો દ્વારા કનડગત કરવામાં આવે છે
જૈન ઉપાશ્રયમાં કેટલાક યુવાનો દ્વારા કનડગત કરવામાં આવે છે

સુરત: અઠવા વિસ્તારમાં આવેલ આવેલ જૈન ઉપાશ્રયમાં(Jain Upasharya ) કેટલાક યુવાનો દ્વારા કનડગત કરવામાં આવે છે. તેવી ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી. આરોપ છે કે ઉપાશ્રયના બારીના કાચો તોડી નાખવામાં આવ્યા છે. ઉપાશ્રયના પગથીયાઓ પણ તોડી નાખવામાં આવ્યા છે. સાધ્વી મહારાજની ઠઠ્ઠામશ્કરી પણ કરવામાં આવી રહી હતી અને ફરિયાદ બાદ પોલીસ ઉપાશ્રય પહોંચી હતી.

સાધ્વી મહારાજની ઠઠ્ઠામશ્કરી પણ કરવામાં આવી રહી હતી અને ફરિયાદ બાદ પોલીસ ઉપાશ્રય પહોંચી હતી.
સાધ્વી મહારાજની ઠઠ્ઠામશ્કરી પણ કરવામાં આવી રહી હતી અને ફરિયાદ બાદ પોલીસ ઉપાશ્રય પહોંચી હતી.

આ પણ વાંચો: TMCના સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનને લઈ સુરત જૈન સમાજ દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત કરી

સાધ્વી મહારાજ સાહેબની મહિલા પોલીસ સ્ટેશનના PSI BM બગડા 'સી' ટીમે મુલાકાત લીધી હતી

સુરતના ગોપીપુરામાં જૈન ઉપાશ્રયમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI BM બગડા 'સી' ટીમની મહિલા સુરક્ષા (C Team Women's Safety)કાર્યક્રમ હેઠળ સાધ્વી મહારાજ સાહેબની ઉપાશ્રયમાં મુલાકાત લીધી હતી. સાધ્વીજીને વિસ્તારમાં અવર જવર દરમિયાન, ઉપાશ્રયમાં સ્થિરતા દરમિયાન કોઇ કનડગત કે હેરાનગતિ હોય તેવી સમસ્યાની જાણકારી મેળવવા ગયા હતા. વાતચીત દરમિયાન સાધ્વીજી મહારાજ સાહેબે જણાવ્યું કે ઘણા યુવાનો દ્વારા પણ ઉપાશ્રયમાં કનડગત કરવામાં આવે છે એક ઉપાશ્રયના તો બારીના કાચો તોડી નાખવામાં આવ્યા છે. ઉપાશ્રયના પગથીયાઓ પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યાં ખૂબ જ ઘોંઘાટ કરી ત્યાં ટોળામાં બેસી આવતા જતા સાધ્વી મહારાજની ઠઠ્ઠામશ્કરી પણ કરવામાં આવી રહી છે. પોલીસ પ્રશાસન દ્વારા સાધ્વીજી મહારાજ સાહેબને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે અને આવા અસામાજીક તત્વોને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાધ્વી મહારાજ સાહેબના સુરક્ષા ની જવાબદારી પોલીસ પ્રશાસન ગંભીરતાથી નિભાવશે.

આ પણ વાંચો: પાટણમાં જૈન સમાજના લોકોએ 'જ્ઞાનપંચમી'ની કરી ઉજવણી

આસપાસ સઘન પેટ્રોલીંગ રાખવું

સુરતના ગોપીપુરામાં જૈન ઉપાશ્રયમાં સાધ્વીજી મહારાજ સાહેબની(Sadhviji Maharaj) રજુઆત, સમસ્યાની જાણ થતા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના પીએસઆઇ(Surat PSI) J B બુબડીયા અને અઠવા પોલીસ સ્ટેશનની(Surat Police Station ) 'સી' ટીમ તાત્કાલિક ઉપાશ્રયની મુલાકાત લઇ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બુબડીયા તેઓની પોલીસ ટીમને સુચના આપી ઉપાશ્રય કે અન્ય કોઈ પણ ધાર્મિક સ્થાનોને આસપાસ સઘન પેટ્રોલીંગ રાખવું પોલીસે અચાનક મુલાકાત લેવી અને જે પણ અસામાજિક તત્વો લાગતા હોય ટોળું કરી બેઠા હોય તેઓની પૂછપરછ કરવી અને શંકાસ્પદ લાગે તો કાયદેસર કાર્યવાહી કરવી, પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોઈપણ અસામાજિક તત્વોની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહીં આવે તેમજ તેઓ કોઈને પણ રંજાડે નહીં તેવી ચોકસાઈ રાખવાની કડક સુચના પોલીસ સ્ટાફના માણસોને આપી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.