ETV Bharat / state

TMCના સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનને લઈ સુરત જૈન સમાજ દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત કરી

author img

By

Published : Feb 5, 2022, 10:46 PM IST

TMCના સાંસદ મહોદયા મહુવા મોઈત્રાએ T(MC MP Mahua Moitra )જૈન સમાજને અપમાન જનક શબ્દોને લઈને ગુજરાત જ નહીં દેશમાં (Mahua Moitra commented on Jain community) વિરોધ થઈ રહ્યો છે. સુરત જૈન યુવક મહાસંઘ તથા સમગ્ર જૈન સમાજ સમાજના મૂલ્યોનું મહુઆ મોઈત્રાએ ઘોર અપમાન કરેલ છે. તેના વિરુદ્ધમાં ભેગા થઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી.

TMCના સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનને લઈ સુરત જૈન સમાજ દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત કરી
TMCના સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનને લઈ સુરત જૈન સમાજ દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત કરી

સુરત: શહેરના જૈન યુવક મહાસંઘ તથા સમગ્ર જૈન સમાજ દ્વારા સાંસદ મહુઆ મોઈત્રાએ જૈનો (Mahua Moitra commented on Jain community)અમદાવાદની ગલીઓમાં નોન -વેજ ખાવા જાય છે. તેવું સાંસદમાં જાહેર કરીને સમગ્ર જૈન સમાજ તથા સમાજના મૂલ્યોનું ઘોર અપમાન કરેલ છે તેના વિરુદ્ધમાં ભેગા થઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી.

કલેક્ટર કચેરીએ રજૂઆત

અમદાવાદની ગલીઓમાં નોન -વેજ ખાવા જાય છે

આજે લોકસભાના ગૃહ પર TMCના સાંસદ મહોદયા મહુવા મોઈત્રાએ જૈન સમાજને અપમાન (Mahua Moitra made controversial remark )જનક શબ્દો કેહતા એવું નિવેદન આપ્યુકે " જૈનો અમદાવાદની ગલીઓમાં નોન -વેજ ખાવા જાય છે" આ નિવેદનને લઈને શહેરના જૈન યુવક મહાસંઘ તથા સમગ્ર જૈન સમાજ (Jain community )દ્વારા કલેકટર કચેરીએ સમગ્ર જૈન સમાજ તથા સમાજના મૂલ્યોનું ઘોર અપમાન કરેલ છે તેના વિરુદ્ધમાં ભેગા થઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

જૈન સમાજ એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની રક્ષા કરવામાં માને છે

લોકસભાના અત્યારે આપ જાણો છો એ રીતે ગૃહના ફ્લોર ઉપર કેટલીક જૈન સમાજની લાગણી દુભાય એ રીતનો પ્રયત્ન કરવામાં આવ્યા છે. હું TMCના સાંસદની વાત કરવા માંગુ છું. એમના સાંસદ મહોદયા મહુવા મોહિત્રા તેઓ એમ કહેવા માગે છે કે અમદાવાદની સ્ટ્રીટ ફૂડમાં જૈન સમાજ નોનવેજ ખાવા માટે જાય છે. મારો એમને સીધો પ્રશ્ન છેકે, આપે કયારે અમદાવાદ જોયું છે. અમદાવાની ગલીઓ ફરીયા છો. જૈન સમાજના સિદ્ધાંતોને આપે જોયો છે. અહિંસાના પરમોધર્મ ઉપર ચાલી રહેલું આ જૈન સમાજ એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની રક્ષા કરવામાં માને છે.

આ પણ વાંચોઃ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સામે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ

જૈન સમાજનો આક્રોશ એ રોડ ઉપર જોવા મળશે

ક્યાંક નોનવેજ પ્રકારની લારી હોય તેનો પણ વિરોધ થાય છે. એવા સમયે તમે આવા પ્રકારનું નિંદનીયએ પણ ગૃહમાં ફ્લોર ઉપર એક બેજવાબદાર નિવેદન જવાબદાર સાંસદ તરીકે કરવામાં આવેલ હોય ત્યારે સમસ્ત ભારત ભરમાં જૈન સમાજની અંદર મારો આક્રોશ છે. આજે અમે માંગ કરીએ છીએ કે, કલેકટરને આવેદનપત્ર આપીએ છીએ કે જો ગૃહના ફ્લોર પરથી તેઓ પોતાના શબ્દો પાછા ખેંચવામાં ન આવે અને એમના દ્વારા સમસ્ત જૈન સમાજ થી માફી માંગવામાં આવે જો આવું નહીં કરે તો અમને રોડ ઉપર ઉતારતા વાર નહિ લાગે. અહિંસા માનનારો સમાજ અમારી કાયરતાને કોઈ લાલાકારવાનો કરવાનો પ્રયત્ન કરશે તો અમે ક્યારેક સહન કરીશું નહીં. સમસ્ત ભારત વર્ષનો જૈન સમાજનો આક્રોશ એ રોડ ઉપર જોવા મળશે. એ ગલીઓમાં જોવા મળશે અને એ માટેની તમામ પ્રકારની જવાબદારી માનનીય સાંસદશની રહેશે.

જૈન સમાજને તમારા શબ્દોની ફૂટપટ્ટીથી માપવાની જરૂર નથી

હું TMCના સાંસદો, નેતાઓને કેહવા માંગુ છૂકે, આપના સાંસદને કેહજો સાનમાં રહે, મર્યાદામાં રહે, માપમાં રહે જૈન સમાજને તમારા શબ્દોની ફૂટપટ્ટીથી માપવાની જરૂર નથી. જો જૈન સમાજ એક વાર રોડ ઉપર ઉતરશે તો કદાચ તમારા ઘર સુધી પહોંચતા વાર લાગશે નહિ. એટલા માટે તમે તમારા શબ્દો પાછા ખેંચો. તેવી અમારા સુરતના જૈન સમાજની માંગ છે. નહિતો આજ દિશામાં લોક જોવાની શરૂઆત થશે.તે ની જવાબદારી આપના સિરે રહેશે.
આ પણ વાંચોઃ TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ વિરુદ્ધ કરી ટિપ્પણી, સી આર પાટીલે કર્યો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.