ETV Bharat / state

હિંમતનગર નજીક મોર ડુંગરા 5 વિસ્તારમાં યુવકે ગળેફાંસો ખાતા ચકચાર

author img

By

Published : Jan 17, 2020, 8:07 PM IST

home
સાબરકાંઠા

હિંમતનગરઃ મોર ડુંગરા 5 વિસ્તારમાં શુક્રવારના રોજ એક યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી પીએમ માટેની તજવીજ હાથ ધરી હતી.

સાબરકાંઠાના ગાંભોઇ પોલીસ મથકની હદમાં મોર ડુંગરા ગામની સીમમાં એક યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જિલ્લામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો બનાવ બન્યો છે. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ છે.

સાબરકાંઠા હિંમતનગર નજીક આવેલા મોર ડુંગરા 5 વિસ્તારમાં યુવકે ગળેફાંસો ખાઇ લેતા ચકચાર

હાલમાં આ યુવક કોણ છે. તેમજ કયા સંજોગોમાં કેટલા સમય પહેલાં આત્મહત્યા કરી હશે. તેનો કોઈ ચોક્કસ અંદાજો આવી શક્યો નથી. તેમજ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પણ કોઇ ખુલાસો થઇ શક્યો નથી.

જો કે, મૃતદેહની હાલત જોતા બે દિવસ પૂર્વે આત્મહત્યા કર્યા હોવાનું પૂર્વાનુમાન કરી શકે તેમ છે. હાલમાં યુવક પાસેથી મોબાઇલ સહિત અન્ય ચીજવસ્તુઓ કબજે લેવામાં આવી છે. તેમજ પોલીસે દ્વારા તમામ ચીજવસ્તુઓના આધારે યુવકની વિગતો એકઠી કરવાનો પ્રયાસ શરૂ કરાયા હતા. તેમજ યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી.

Intro:સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા મોરડુંગરા પ વિસ્તારમાં આજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે જે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પીએમ માટેની તજવીજ હાથ ધરી છેBody:સાબરકાંઠાના ગાંભોઇ પોલીસ મથકની હદમાં મોર ડુંગરા ગામની સીમમાં એક યુવક ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાઈ છે સાબરકાંઠા જિલ્લામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો બનાવ બન્યો છે જેના પગલે પોલીસ પણ દોડતી થઇ છે
હાલમાં આ યુવક કોણ છે તેમજ કયા સંજોગોમાં કેટલા સમય પહેલા આત્મહત્યા કરી હશે તેનો કોઈ ચોક્કસ અંદાજો આવી શક્યો નથી તેમ જ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પણ કોઇ ખુલાસો થઇ શક્યો નથી જોકે મૃતદેહની હાલત જોતા બે દિવસ પૂર્વે આત્મહત્યા કર્યા હોવાનું પૂર્વાનુમાન કરી શકે તેમ છે હાલમાં યુવક પાસેથી મોબાઇલ સહિત અન્ય ચીજવસ્તુઓ કબજે લેવામાં આવી છે તેમજ પોલીસે આ તમામ ચીજવસ્તુઓના આધારે યુવકનો નામ સરનામું સહિતની વિગતો એકઠી કરવાનો પ્રયાસ શરૂ કર્યું છે સાત યુવકના મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ખસેડવાની તજવીજ પણ હાથ ધરી છે.જો કે આત્મહત્યા કયા કારણોસર થઇ તે હજુ જાણી શકાયું નથી.Conclusion:જિલ્લામાં ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યા હોવાનો સતત ત્રીજો બનાવ બનવા ના પગલે હાલમાં પોલીસ પણયુવક ની ઓળખ વિધિ સહિત હત્યા કે આત્મહત્યા ના ગુના માટે પણ જરૂરી તજવીજ હાથ ધરી છે જોકે યુવકે કયા કારણસર આવું પગલું ભર્યું એ તો પોલીસ તપાસ બાદ જ ખૂલી શકે તેમ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.