ETV Bharat / state

Rajkot Airport: રાજકોટ હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ મામલે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ટ્વીટ

author img

By

Published : Jun 7, 2023, 3:03 PM IST

Updated : Jun 7, 2023, 6:18 PM IST

રાજકોટ હિરાસર ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાબાં સમયથી લોકચર્ચામાં રહ્યુંં છે. ત્યારે કેન્દ્રિય ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિરાસર એરપોર્ટના વખાણ કર્યા હતાં. તેમણે હિરાસર એરપોર્ટ અંગે ટ્વિટ કરી આ પ્રોજેક્ટને નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વનું પરિણામ જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા હિરાસર એરપોર્ટનું લોકાર્પણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

Etv Bharat
Etv Bharat

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રાજકોટ હિરાસર ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ટૂંક સમયમાં જ આ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટના વખાણ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યા હતા. આ અંગે કેન્દ્રીય પ્રધાને ટ્વિટર ઉપર હિરાસર એરપોર્ટના ફોટાઓ મૂક્યા હતા. આ પ્રકારનું ટ્વીટ કરતા ફરી એક વખત હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ ચર્ચામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ એરપોર્ટનું લગભગ 80%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા હિરાસર એરપોર્ટનું લોકાર્પણ થાય તેવી પૂરેપૂરી શક્યતા પણ છે.

  • राजकोट (गुजरात) में निर्माणाधीन हीरासर ग्रीनफील्ड एयरपोर्ट, प्रधानमंत्री श्री @narendramodi जी की दूरदर्शी नेतृत्व का परिणाम है । 23,000 वर्ग मीटर में फैला टर्मिनल भवन, 3040 मीटर लम्बा रनवे सहित पूरे एयरपोर्ट को रु 1405 करोड़ की लागत से तैयार किया जा रहा है जिस से राज्य में… pic.twitter.com/q4Q7zi7Ke5

    — Jyotiraditya M. Scindia (@JM_Scindia) June 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રીય પ્રધાને શું કહ્યું: કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર પર હીરાસર એરપોર્ટ અંગે એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમને લખ્યું છે કે ગુજરાતના રાજકોટમાં નિર્માણ પામી રહેલા હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વનું પરિણામ છે. 23,000 વર્ગ મીટરમાં ફેલાયેલ ટર્મિનલ ભવન, તેમજ 3040 મીટર લાંબો રનવે અને સમગ્ર એરપોર્ટ રૂ. 1450 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ એરપોર્ટના નિર્માણ બાદ રાજ્યમાં આવવા જવાની સુવિધાઓમાં વધારો થશે. તેમજ આસપાસના વિસ્તારોમાં વિકાસ થશે અને રોજગારીની તકો પણ વધશે.

એરપોર્ટનું 80% કામ પૂર્ણ: રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર માનવામાં આવે છે. ત્યારે રાજકોટમાં દેશભરમાંથી મોટા પ્રમાણમાં વેપારીઓની અવર-જવર રહેતી હોય છે. જેને લઈને રાજકોટની ભાગોળે હિરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવાનું કાર્ય શરૂ છે. તેનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ કરવામાં આવ્યું હતું. ત્યારે હીરાસર એરપોર્ટનું કામ હવે 80%થી વધુ પૂર્ણ થઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો મળશે: આગામી દિવસોમાં હિરાસર એરપોર્ટનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થાય તે પ્રકારના વહીવટી તંત્રના પ્રયાસો જોવા મળી રહ્યા છે. ત્યારે હિરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓને ખૂબ જ ફાયદો થશે અને હિરાસર એરપોર્ટ ખાતેથી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પણ મળી રહેશે. જેના કારણે દેશ-વિદેશમાં ફરવું સહેલું પડશે.

  1. Rajkot Airport: રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
  2. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટ વિસ્તરણ માટે રૂપાણી સરકાર પાસે 96 હેકટર અને 2100 હેકટર જગ્યાની માંગણી કરી
Last Updated : Jun 7, 2023, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.