ETV Bharat / state

રાજકોટના જાણીતા ભજનીક હેમંત ચૌહાણે કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો

author img

By

Published : Mar 31, 2021, 8:36 PM IST

રાજકોટના જાણીતા ભજનીક હેમંત ચૌહાણે કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યો હતો તેમજ ગ્રામ્યજનોને કોરોના વેક્સિન લેવા ખાસ અપીલ કરી.

હેમંત ચૌહાણે રસીનો પ્રથમ ડોઝ લીધો
હેમંત ચૌહાણે રસીનો પ્રથમ ડોઝ લીધો

  • હેમંત ચૌહાણે રસીનો પ્રથમ ડોઝ લીધો
  • ગ્રામ્યજનોને કોરોના વેક્સિન લેવા ખાસ અપીલ કરી
  • બહુ લાંબા સમય પછી રસી મળી, જેનો આપણને ગૌરવ અને આનંદ થવો જોઈએ

રાજકોટ: ગુજરાત અને દેશ- દુનિયામાં જેમના ભજનોએ લોકોને ઔલોકિક આનંદની અનુભૂતિ કરાવે છે, તેવા ભજનીક હેમંત ચૌહાણે કોરોના મહામારી સામેની લડતમાં સહભાગી બની કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મૂકાવ્યો છે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી આપવાની શરૂઆત

પ્રત્યેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ

રસીકરણના પ્રથમ ડોઝ બાદ બિલકુલ સ્વસ્થતા સાથે પ્રતિભાવ આપતાં હેમંતભાઈએ જણાવ્યું હતુ કે, મેં આજે કોરોના સામે રક્ષણ આપતી રસી લેધી છે. મને તેની કોઈ જ આડ અસર થઈ નથી. હું લોકોને અપીલ કરૂં છું કે, સરકાર અને રસી બન્ને પર ભરોસો રાખી વેક્સિનેશન કરાવે. કોરોનાની મહામારીમાં બહુ લાંબા સમય પછી આપણને રસી મળી છે. જેનું આપણને ગૌરવ અને આનંદ થવો જોઈએ અને તેથી જ પ્રત્યેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ.

આ પણ વાંચો: અંકલેશ્વરની ESIC હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાય

સૌ કોઇએ વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવવું જોઈએ

હેમંતભાઈ ચૌહાણના ભજનોનો બહોળો વર્ગ ગ્રામ્ય લોકોનો છે. તેથી જ તેમણે ગ્રામ્યજનોને ખાસ અપીલ કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં રસીને લઈને જે કંઈ ગેરસમજ હોઈ કે કોઈ શંકા હોઈ તેને દૂર કરીને સૌ કોઇએ વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવી કોરોના સામેના જંગમાં વિજયી બનવાનું છે. વેક્સિનેશન બાદ પણ આ રોગ સમૂળગો જાઈ નહી ત્યાં સુધી માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ અવશ્ય કરવાનું જ છે.

કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી

રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન રસીકરણ કેન્દ્ર ખાતે રસી લીધા બાદ હેમંતભાઈએ કોરોના વોરિયર્સ અને ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરોના સામે કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.