ETV Bharat / state

ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની યુદ્ધ જહાજને ભણાવ્યો પાઠ

author img

By

Published : Aug 8, 2022, 8:22 AM IST

Updated : Aug 8, 2022, 10:51 AM IST

પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નથી આવતુ. પાકિસ્તાની યુદ્ધ જહાજે ભારતીય જળસીમામાં પ્રવેશવાનો (Indian Coast Guard) પ્રયાસ કર્યો હતો, પરંતુ કોસ્ટ ગાર્ડે તેને ભગાડ્યુ હતુ. આ ઘટના જુલાઈ મહિનાની (Dornier aircraft forced Pakistan Navy warship) છે, પરંતુ હવે તે સામે આવી છે.

ભારતીય કોસ્ટ કાર્ટે પાકિસ્તાની યુદ્ધ જહાજને ભણાવ્યો પાઠ
ભારતીય કોસ્ટ કાર્ટે પાકિસ્તાની યુદ્ધ જહાજને ભણાવ્યો પાઠ

પોરબંદર: પાકિસ્તાની નૌકાદળનું યુદ્ધ જહાજ પોરબંદરના દરિયાકાંઠે દરિયાઈ સીમા રેખા ઓળંગીને (Indian Coast Guard) ભારતીય જળસીમામાં પ્રવેશ્યું હતું, પરંતુ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તેને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. સરકારી સૂત્રોએ (Dornier aircraft forced Pakistan Navy warship) જણાવ્યું કે, આ ઘટના જુલાઈમાં બની હતી. પાકિસ્તાન નેવીનું જહાજ આલમગીર દરિયાઈ સીમા ઓળંગીને ભારતીય જળસીમામાં ઘુસી ગયું હતું.

આ પણ વાંચો: હર ઘર તિરંગાનો અનોખો ઉત્સાહ, યુવાઓમાં જાગી ખાદીના તિરંગા ખરીદવાની હોડ

ભારતીય કોસ્ટ ગાર્ડ ડોર્નિયર એરક્રાફ્ટ: તેમણે કહ્યું કે, ભારતીય જળસીમામાં પ્રવેશ્યા પછી તરત જ ભારતીય કોસ્ટ ગાર્ડ ડોર્નિયર એરક્રાફ્ટ (Indian Coast Guard Dornier aircraft) દ્વારા તેની પ્રથમ શોધ કરવામાં આવી હતી. આ વિમાન નજીકના એરપોર્ટ પરથી દરિયાઈ દેખરેખ માટે રવાના થયું હતું. ભારતીય એજન્સીઓ તેમના માછીમારોને ગુજરાત નજીક દરિયાઈ સીમા રેખા સાથે પાંચ નોટિકલ માઈલની અંદર પ્રવૃત્તિઓ કરવા દેતી નથી.

પાકિસ્તાની યુદ્ધ જહાજને ચેતવણી: પાકિસ્તાની યુદ્ધ જહાજને શોધી (pakistan Navy warship to return to its waters) કાઢ્યા પછી, ડોર્નિયરે તેના કમાન્ડ સેન્ટરને ભારતીય જળસીમામાં તેની હાજરી વિશે જાણ કરી અને તેનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખ્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ડોર્નિયરે પાકિસ્તાની યુદ્ધ જહાજને ચેતવણી આપી હતી અને તેને તેના ક્ષેત્રમાં પાછા ફરવાનું કહ્યું હતું, પરંતુ તેણે જવાબ આપ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું કે, ડોર્નિયર PNS આલમગીર પર ફરતું રહ્યું. તેનો ઈરાદો જાણવા માટે તેને તેના રેડિયો કોમ્યુનિકેશન સેટ પર ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પાકિસ્તાની કેપ્ટને સંપૂર્ણ મૌન જાળવ્યું હતું અને કોઈ જવાબ આપ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું કે, ડોર્નિયરે પાકિસ્તાની યુદ્ધ જહાજની બરાબર સામે બે કે ત્રણ વાર ઉડાન ભરી હતી, ત્યારબાદ તેને પીછેહઠ કરી હતી.

આ પણ વાંચો: 700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું

પાકિસ્તાની ગતિવિધિ: જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ભારતીય કોસ્ટ ગાર્ડ અધિકારીઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય વાયુસેના ગુજરાતના દરિયાકાંઠે આવેલા સિરક્રીક વિસ્તારમાંથી કોઈપણ પ્રકારના દુ:સાહસને રોકવા માટે ખૂબ જ સક્રિય છે. તાજેતરના સમયમાં અહીં પાકિસ્તાની ગતિવિધિઓ વધી છે, ખાસ કરીને નાર્કો-આતંકવાદ.

તૈયારીઓની સમીક્ષા: ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક વી.એસ. પઠાણીયાએ પણ તાજેતરમાં પોરબંદર વિસ્તારની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરિયાકાંઠાની દેખરેખ માટે નવા ALH ધ્રુવ હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવ્યા છે. ફોર્સના હોવરક્રાફ્ટ પણ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં તૈનાત છે અને નિયમિતપણે દેખરેખ રાખે છે.

Last Updated : Aug 8, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.