અહીં પ્રવાસન દ્વારા અનેક લોકોને રોજગાર મળે છે, સ્થાનિકો તેને લગતા નાના-મોટા ધંધાઓમાં વ્યસ્ત છે અને તેમને ઘી-કેળા થઈ ગયા છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે અત્યાર સુધીમાં 27 લાખ જેટલા પ્રવાસીઓ આવી ગયા છે, ત્યારે પ્રવાસીઓ રાત્રિ દરિમયાન પણ અહિંયાનો નજારો જોઈ શકે તે માટે હવે સાંજના 7.30 સુધી ટિકીટ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકે છે.
પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે બે કલાકનો સમયગાળો વધારવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓનો ધસારો જોતા હવે પ્રવાસીઓ માટે હાલ એક અઠવાડિયા માટે પ્રાયોગિક ધોરણે સવારના 8થી સાંજે 7.30 સુધી ખુલ્લું રહેશે. અગાઉ સવારના 8થી સાંજે 6 સુધીની જ ટિકિટ મળતી હતી. આ સમયમાં બદલાવ આવવાને કારણે હવે લેસર શો રાત્રે 8 વાગે થશે.