ETV Bharat / state

વિશ્વ માનવતા દિવસઃ મહેસાણાના 'અપના ઘર આશ્રમ'એ મહેકતી માનવતા.!

author img

By

Published : Aug 19, 2020, 1:18 PM IST

19મી ઓગસ્ટ એટલે માનવતાને મહેકાવતાનો દિવસ. આજના આ દિવસને વિશ્વ માનવતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત થઈ ત્યારથી જગતમાં માનવતાવાદી વિચારધારાનો વ્યાપ વધ્યો છે. આ સાથે જ જુદા-જુદા દેશોમાં માનવતાવાદી વલણને અધિકૃત રીતે માન્યતા મળવાનું પણ શરૂ થઈ ગયું છે.

World Humanitarian Day
World Humanitarian Day

મહેસાણાઃ આજના આ દિવસે વિશેષ અહેવાલમાં વાત કરીશું માનવતાને મહેકાવી પ્રેરણા સ્ત્રોત બનેલા મહેસાણાના ઉમતા ગામે આવેલા અપના ઘર આશ્રમની કે, જ્યાં માનવતાવાદી વિચારો સાથે સમાજમાં પરિવારથી વિખુટા પડેલા મંદબુદ્ધિ, લાચાર, નિરાશ્રિત અને બીમારીમાં સપડાયેલા માણસોને આશ્રમમાં લાવી પ્રભુજી નામે સેવા કરવામાં આવી રહી છે. ઉમતા ખાતે આવેલા આ અપના ઘર આશ્રમમાં જેનો કોઈ આશરો નથી હોતો અને પરિસ્થિતિના માર્યા જે લોકો દર દર ભટકતા હોય છે, તેમને તેમનું પોતાનું ઘર એટલે કે, અપના ઘરમાં લાવી હેર કટિંગ કરાવવું, સ્નાન કરાવવું, નવા કપડાં પહેરાવવા, સારું ભોજન જમાડવું અને આરોગ્યલક્ષી સારવાર સહિત મુક્ત વાતાવરણમાં જીવન વિતાવવાની સગવડ આપવામાં આવી રહી છે.

વિશ્વ માનવતા દિવસ પર મહેસાણાના અપના ઘર આશ્રમની મહેકતી માનવતા
અપનાઘરમાં રહેતા તમામ પ્રભુજીમાં કેટલાક વ્યક્તિઓ સારા ભણેલા ગણેલા માણસો છે, તો કેટલાક હોંશિયાર માણસો પણ છે. જો કે, સંજોગો અવસાત આ વ્યક્તિઓના માનસ પર અણધારી બિમારી સર્જાતા તેઓ સમાજ અને પોતાના જ પરિવારથી તરછોડાઈ ગયા હતા. જો કે, અપના ઘરમાં આવી આજે આ તમામ પ્રભુજી સ્વર્ગમાં જોઇ તેવી ખુશીઓની લાગણી અનુભવી રહ્યાં છે, તો કેટલાક વ્યક્તિઓ અપના ઘરમાં રહી સ્વસ્થ બનતા પોતાના સ્વજનો પાસે પરત ફરી આજે સામાન્ય જીવન જીવતા થયા છે. આજે વિશ્વ માનવતા દિવસ પર અપના ઘર આશ્રમની મુલાકાત કરતા નિરાધારો અને નિરાશ્રિતો માટે ખરા અર્થમાં આ આશ્રમ એ 'માનવ સેવા એજ પ્રભુ સેવા'ની યુક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.