ETV Bharat / state

ખાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતે કરી આત્મહત્યા

author img

By

Published : Jan 3, 2021, 6:46 PM IST

મહીસાગર જિલ્લાની તાલુકા પંચાયત કચેરી ખાતે મકાન સહાય અર્થે સરકારી સહાય ન મળતા ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું હતુ. ખેડૂતની આત્મહત્યા બાદ તેના પરિવાર જનોએ હોબાળો મચાવી મૃતદેહ ન સ્વીકાર ઇનકાર કર્યો હતો.

ખાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતે કરી આત્મહત્યા
ખાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતે કરી આત્મહત્યા

  • સરકારી કચેરીમાં ખેડૂતે આત્મહત્યા કરી
  • જવાબદાર સામે એફઆઈઆર નોંધાય તેવી પરિવારની માગ
  • પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઈનકાર

મહીસાગરઃ જિલ્લાની તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતે ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ખેડૂતના આત્મહત્યા બાદ તેના પરિવાર જનોએ હોબાળો મચાવી મૃતદેહ ન સ્વીકારતા જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવા ઇનકાર કર્યો હતો.

તાલુકા પંચાયતમાં ખેડૂતે કરી આત્મહત્યા

મકાન સહાય અર્થે સરકારી સહાય ન મળતા ખેડૂતે આત્મહત્યાનું પગલું ભર્યું હતુ. મળતી વિગત અનુસાર, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની બાકોર તાલુકા પંચાયત ખાતે એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. ખેડૂત ખાનપુરના વાંદરવેડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સરકારી કચેરીમાં ખેડૂતે આત્મહત્યા કરી લેતા તેના પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરી હતી. ખાનપુરના વાંદરવેડા ગામના ખેડૂત બળદેવસિંહ ચારણે બાકોર તાલુકા પંચાયતમાં તેમણે કોઈ મકાનની સહાય માટે અરજી કરેલી હતી પરંતુ તેમને અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેમજ મકાન સહાયની અરજીને લઈ અનેક વખત ધક્કા ખાવા છતા કોઈ પણ સહાય ન મળતા તથા કોઈ પણ કર્મચારી કે પદાધિકારી કે અધિકારી તેમની વાત સાંભળતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. છેવટે તેણે કંટાળી કચેરીમાં જ આત્મહત્યા કરી લીધો છે.

મામલતદાર કક્ષાના અધિકારીઓ આવ્યા ઘટના સ્થેળે

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ખેડૂતના પરિવારને સમજાવવા કોશિશ કરી હતી, પરંતુ પરિવાર ન માનતા જિલ્લામાંથી ડીડીઓ, મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ પરિવારે જ્યાં સુધી જવાબદારી સ્વીકારી જવાબદાર અધિકારી વિરુદ્ધ FIR નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની હઠ પકડી હતી.

લુણાવાડાના ધારાસભ્યએ પરિવારને આશ્વાસન આપ્યું

આ મામલે જાણ થતા લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક પણ પરિવારજનોને આશ્વાસન આપવા અને સમજાવવા માટે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. પરંતુ પરિવારને સમજાવવાની કોશિશમાં હજુ સફળતા મળી નથી. પોલીસનું કહેવું છે કે, જ્યાં સુધી તપાસ ન થાય કે, કયા કારણોસર આત્મહત્યા કર્યો અને કોણ કોણ તેના માટે જવાબદાર છે, ત્યાં સુધી કોની સામે એફઆઈઆર નોંધી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.