ETV Bharat / state

ગાંધીધામ વિધાનસભા બેઠક : અનુસૂચિત જાતિ માટેની આ અનામત બેઠક પર ક્યો ઉમેદવાર બાજી મારશે?

author img

By

Published : Nov 10, 2022, 6:22 PM IST

Updated : Nov 10, 2022, 7:24 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022 ) કચ્છ જિલ્લાની કુલ 6 બેઠક છે, જેમાં ગાંધીધામ બેઠક પર બિગ ફાઈટ થશે. ગાંધીધામ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. આવો આપણે ગાંધીધામ બેઠક (andhidham Assembly Candidate List) પર કેમ બિગ ફાઈટ થશે તે જાણીએ.

ગાંધીધામ વિધાનસભા બેઠક : અનુસૂચિત જાતિ માટેની આ અનામત બેઠક પર ક્યો ઉમેદવાર બાજી મારશે?
ગાંધીધામ વિધાનસભા બેઠક : અનુસૂચિત જાતિ માટેની આ અનામત બેઠક પર ક્યો ઉમેદવાર બાજી મારશે?

કચ્છ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાતો થઈ ચૂકી છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની (Assembly seat in Kutch district) 6 સીટો છે. કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી દ્વારા તમામે તમામ છ સીટ પર ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર બે બેઠકો માટે જ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

કચ્છ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી
કચ્છ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી

કચ્છ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી: આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. વિધાનસભા બેઠકના મતદારોની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યા ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 3,11,574 મતદારો છે. જે પૈકી 1,65,494 પુરુષ મતદારો છે જ્યારે 1,46,074 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીધામને કચ્છનું આૈદ્યોગિક કે આર્થિક પાટનગર (Gandhidham is industrial capital of Kutch) કહેવાય છે. વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગાંધીધામ કચ્છનું સૌથી મોટું શહેર છે.

અગાઉની ચૂંટણીના પરિણામ: વર્ષ 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,25,718 મતદારો પૈકી કુલ 1,37,783 મતદારોએ મત આપ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ચાવડા જયશ્રીબેનને 51,336 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ મહેશ્વરીને 72,779 મત મળ્યા હતા અને 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે રમેશ મહેશ્વરીએ 72,779 મત મેળવી વિજેતા બન્યા હતા.રમેશ મહેશ્વરી 21,443 મતથી વિજેતા બન્યાં હતાં. 2017 ગાંધીધામ વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ વિશે જોઇએ તો વર્ષ 2017માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક (Assembly seat of Gandhidham Constituency) માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.

ગાંધીધામ બેઠક પર ધારાસભ્યને ફરી અપાઈ ટિકિટ ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠક કે જે અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક (Reserved seat for scheduled caste) છે. જ્યાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ચુંટાયા હતા. જેમને આ વર્ષે ફરી ટિકિટ આપીને રીપિટ કરાયા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે પ્રોફેશનથી વકીલ એવા બુધાભાઈ મહેશ્વરીને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી આ બેઠક પર અખિલ ગુર્જર મેઘવાળ સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે

ગાંધીધામ વિધાનસભા બેઠક ગાંધીધામ બેઠક પર 1,66,892 પુરુષ, 1,48,093 મહિલા, અન્ય 6 સહિત કુલ 3,14,991 મતદાર નોંધાયાં છે.કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠકમાં દલિત, આહીર અને મુસ્લિમોની વસ્તી વધારે છે. તે ઉપરાંત સીંધી, લેઉઆ પટેલ, રબારી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 54 ટકા પુરુષો છે અને 46 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 78 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 90 ટકા અને 76 ટકા છે.

ગાંધીધામ વિધાનસભા બેઠકની ખાસિયત
ગાંધીધામ વિધાનસભા બેઠકની ખાસિયત

ગાંધીધામ વિધાનસભા બેઠકની ખાસિયત ભારતના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું અને તેની ખોટ પૂરી કરવા માટે કંડલા બંદરનો ભારત સરકાર દ્વારા વિકાસ કરાયો હતો જે બંદર આ તાલુકામાં આવેલું છે. તેના કારણે આ તાલુકામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે તથા વસતીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા 22 ઓગસ્ટ 2000ના રોજ અંજાર તાલુકામાંથી 9 ગામો તથા કંડલા કોમ્પલેક્ષના શહેરી વિસ્તારને મેળવીને નવા ગાંધીધામ તાલુકાની રચના કરવામાં આવી હતી. આ તાલુકો કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે. 1947માં આઝાદી પછી સિંધથી આવેલા સિંધી નિર્વાસીતોને થાળે પાડવાના ઉદેશ્યથી ભાઇ પ્રતાપ દિઅલદાસે આ શહેરનો પાયો નાખ્યો હતો. શરુઆતના તબક્કે આ શહેરનું નામ સરદારગંજ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરનુ઼ં કામ આગળ વધી રહ્યું હતુ઼ં એ જ દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થતાં, શહેરનું નામ સરદારગંજથી બદલીને ગાંધીધામ રાખવાનું નક્કી થયું. મહાત્માજીના અસ્થિઓ સાચવવા માટે જોડીયા શહેર આદિપુરનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું. આજે રાજધાની નવી દિલ્હીના રાજઘાટ ઉપરાંત મહાત્માજીની બીજી સમાધિ ગાંધીધામના જોડીયા શહેર આદિપુરમાં બાપુની યાદ અપાવતી ઉભી છે.

ગાંધીધામ વિધાનસભાના મતદારોની માગણી અને સમસ્યાઓ
ગાંધીધામ વિધાનસભાના મતદારોની માગણી અને સમસ્યાઓ

ગાંધીધામ વિધાનસભાના મતદારોની માગણી અને સમસ્યાઓ ગાંધીધામએ કચ્છનું આદ્યોગિક પાટનગર છે. જ્યાં દર વર્ષે અબજોના કારોબાર થતાં હોય છે.પરંતુ ટાગોર રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાતો હોય છે, ગાંધીધામથી આદિપુર સુધીના રોડની ડાબી તરફનો સળંગ સર્વિસ રોડ વિકસાવવા, વરસાદ પહેલા ડ્રેનેજ સિસ્ટમ બનાવવા, વરસાદી નાળાની ગંદકી દૂર કરી સફાઈ કરવા, જીઆઈડીસી વિસ્તારમાં ઝાડીઓ કાપી સફાઈ કરવા, રસ્તાઓનુ રીસર્ફેસીંગ, મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો નિકાલ, આંતરીક રસ્તાઓ સુધારી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થિત કલરના પટ્ટા લગાડવા, ભારતનગરમાં પોલીસ ચોકી કાર્યરત કરવા, રોટરી સર્કલથી રાજવી ફાટકને સમાંતરે રોડ વ્યવસ્થા, વિવિધ ટેલીકોમ કંપનીઓના ટાવરની સમસ્યા, શહેરના વિકાસ માટે ફાળવાયેલા પ્લોટો અને બગીચાનું નવીનીકરણ તથા તેની જાળવણી, એકાંતરે પાણી વિતરણ, પુલિયા મોટા કરવા, રખડતા ઢોરમાંથી મુકિત, સિટી બસ સેવા કાર્યરત કરવા,મુખ્ય બજારમાં શૌચાલય બનાવવા, ગાંધી સમાધિને પ્રવાસન સૂચિમાં શામેલ કરવા, આદિસર તળાવને ઉંડુ કરી જળ સંગ્રહ શકિત વધારવા, બંધ ટ્રાફિક સિગ્નલો શરૂ કરવા, શાક અને ફ્રુટ વિક્રતાઓને નવી શાક માર્કેટ ઉપલબ્ધ કરાવવા, મહાનગરપાલિકાના દરજજા માટે સહિયારા પ્રયાસ કરવા સહિતના મુદાઓ 2022ની ચૂંટણી અંગેના મુદ્દાઓ બની શકે છે.

Last Updated : Nov 10, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.