ETV Bharat / state

નડિયાદમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશુભાઈ પટેલની શોક સભા યોજાઈ

author img

By

Published : Nov 1, 2020, 8:51 PM IST

નડિયાદમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. અગ્રણીઓ અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

nadiyad
nadiyad

  • નડિયાદમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી
  • પુષ્પાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
  • નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બાપાને યાદ કરતા કર્યું સંબોધન

ખેડાઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન, ભારતીય જનતા પક્ષ ક્ષયને જાહેર જનતામાં કેશુબાપાના હુલામણા નામે જાણીતા તેમ જ દિવંગત લોકનેતા સ્વ.કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા આજે ખેડા જિલ્લા ભાજપ નડિયાદ કમલમ કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વ.કેશુભાઈને પુષ્પાંજલિ અર્પી હતી અને દિવંગત નેતાના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

nadiyad
nadiyad

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કર્યું સંબોધન

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્વ.કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, કેશુબાપાએ જનસંઘ અને ભાજપ પક્ષની વિચારધારાને બીજમાંથી વટવૃક્ષ બનાવ્યું છે. મુખ્યપ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ગોકુળ ગ્રામ જેવી તેમની યોજનાના પરિણામો છે. ભારતીય જનતા પક્ષમાં વર્ષ 1997માં પોતાનો પક્ષ પ્રવેશ મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામે થયો હતો. ત્યારે તેમના આશીર્વાદ અને ઉપસ્થિતિને લઈને આજે ખેડા આણંદ જિલ્લામાં ભારતીય જનતા પક્ષની વિચારધારાને લઈ જવામાં મને વિશેષ બળ મળ્યું હોવાનું મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.