ETV Bharat / state

નડિયાદમાં પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા સંમેલન યોજાયું

author img

By

Published : Sep 25, 2019, 8:35 PM IST

નડિયાદઃ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય કૃષિપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 અને 35-A ની નાબૂદીના સમર્થનમાં જનજાગૃતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા સંમેલન યોજાયું હતું.

National Unity Convention held in nadiyad

ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે જનજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે પાર્ટીના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિચાર ગોષ્ઠી યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા લોકોને માર્ગદર્શન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાનની રાજનીતિથી દેશમાં વર્ષો સુધી દૂરોગામી અસર રહેશે તેવા નિર્ણયો લેવાયા છે. આ દેશના નાગરિકો વર્ષોથી જેની રાહ જોતા હતા તે કાશ્મીર સંબંધી કલમ-370ને રદ કરવાનો ઐતિહાસીક નિર્ણય લેવાયો છે. તેની પૃષ્ઠભૂમિ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અસરો સંબંધે લોકોમાં જનજાગૃતિ કરવાના આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

નડિયાદમાં પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા સંમેલન યોજાયું

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અમારી ભારતીય જનતા પાર્ટી ઓલ ઈન્ડિયાની અપેક્ષા છે કે, સમગ્ર ભારતના નાગરિકો આ સમગ્ર ઘટનાક્રમને મૂલવે તેની હકીકતોને જાણે અને દેશમાં રાજનૈતિક રીતે જે હિંમતભર્યું પગલું વડાપ્રધાને લીધું છે અને પોતાનો પરિચય આપ્યો છે તેને જાણે.

આ પ્રસંગે પ્રભારી જયસિંહ ચૌહાણ, સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, મહામંત્રી ગોપાલ શાહ, દશરથ પટેલ સહિત હોદ્દેદારો, કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:Aprvd by ViharBhai
નડિયાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા સંમેલન યોજવામાં આવ્યું હતું.જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 ની નાબૂદીના સમર્થનમાં જનજાગૃતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા સંમેલન યોજાયું હતું.Body:
.
ભારતીય જનતા પાર્ટી કાર્યાલય નડિયાદ ખાતે જનજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે પાર્ટીના અને જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિચારગોષ્ઠી યોજાઈ હતી.આ પ્રસંગે કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાજી માર્ગદર્શન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી,ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા રાજનીતિમાં વર્ષો સુધી જેની દૂરોગામી અસર રહેવાની છે એવા જે નિર્ણયો થયા અને આ દેશમાં ભારતીય નાગરિકો વર્ષોથી જેની રાહ જોતા હતા એવી કાશ્મીર સંબંધી ૩૭૦મી કલમ રદ કરવા માટેનો ઐતિહાસીક નિર્ણય લીધો.જેની પૃષ્ઠભૂમિ,એની પ્રક્રિયાની અસરો તેમજ એની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અસરો સંબંધે લોકોમાં જનજાગૃતિ કરવાના આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં ભાગ લેવા માટે ખુબ મોટી સંખ્યામાં આગેવાનો આવ્યા છે અને અમારી ભારતીય જનતા પાર્ટી ઓલ ઇન્ડિયાની અપેક્ષા છે કે સમગ્ર ભારતના નાગરિકો આ સમગ્ર ઘટનાક્રમને મૂલવે તેની હકીકતોને જાણે અને દેશમાં રાજનૈતિક રીતે જે હિંમતભર્યું પગલું લેવા માટે વડાપ્રધાને જે પોતાનો પરિચય આપ્યો છે હિન્દુસ્તાનની રાજનીતિને એ અંગે કાર્યકર્તાઓને માહિતગાર કરવા માટેનો આ કાર્યક્રમ યોજ્યો છે. આ પ્રસંગે પ્રભારી જયસિંહજી ચૌહાણ, સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહજી ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, મહામંત્રી ગોપાલભાઈ શાહ, દશરથભાઈ પટેલ સહિત હોદેદારો, કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ-પુરૂષોત્તમ રૂપાલા,કેન્દ્રીય કૃષિપ્રધાનConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.