ETV Bharat / state

ગીર સોમનાથમાં બનેલ RTO કચેરીનું મુખ્યપ્રધાન કરશે ઇ-લોકાર્પણ

author img

By

Published : Jun 20, 2020, 4:32 AM IST

ગીર સોમનાથના ઈણાજ ખાતે નિર્માણાધીન RTO કચેરીનું તારીખ 20ના રોજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોકાર્પણ કરાશે. રૂપિયા 4 કરોડ 70 લાખના ખર્ચે તૈયાર થયેલ RTO કચેરીમાં અધતન ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ સહિતની સુવિધા આપવામાં આવશે.

ગીર સોમનાથમાં બનેલ RTO કચેરીનું મુખ્યપ્રધાન કરશે ઇ-લોકાર્પણ
ગીર સોમનાથમાં બનેલ RTO કચેરીનું મુખ્યપ્રધાન કરશે ઇ-લોકાર્પણ

ગીરસોમનાથ: ઈણાજ મોડેલ સ્કુલની પાછળના વિસ્તારમાં આવેલ ગીર સોમનાથ જિલ્લાની RTO કચેરીનું તારીખ 20-06-2020ના રોજ સવારે 11.30 કલાકે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોકાર્પણ કરવામાં આવશે. રૂા.470.12 લાખના ખર્ચે તૈયાર થયેલ RTO કચેરીના લોકાર્પણ પ્રસંગે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી રહેવ, જિલ્લા પોલીસ વડા અને મહાનુભાવો સહભાગી થશે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગર ખાતેથી RTO કચેરીનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

ગીર સોમનાથમાં બનેલ RTO કચેરીનું મુખ્યપ્રધાન કરશે ઇ-લોકાર્પણ
ગીર સોમનાથમાં બનેલ RTO કચેરીનું મુખ્યપ્રધાન કરશે ઇ-લોકાર્પણ

વાહન વ્યવહાર વિભાગ ગાંધીનગર દ્રારા RTO કચેરી ગીર સોમનાથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કચેરી 1497 ચો.મીટરના વિસ્તારમાં તૈયાર કરી ગ્રાઉન્ડ ફ્લોર, ફસ્ટ ફ્લોર અને ટેરેસ ફ્લોર બનાવવામાં આવેલ છે. તેમજ અધતન ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ પર ટુ વ્હિલર, એલએમવી માટે ટેસ્ટની સુવિધા, ટ્રાન્સપોર્ટ વાહનો માટે આધુનિક મશીન દ્રારા તપાસણી કરી ફિટનેશ કરી શકાય, તેવુ આધુનિક ફીટનેસ સેન્ટર સહિતની સવલત ઉપલબ્ધ કરવામાં આવી છે.

ગીર સોમનાથમાં બનેલ RTO કચેરીનું મુખ્યપ્રધાન કરશે ઇ-લોકાર્પણ
ગીર સોમનાથમાં બનેલ RTO કચેરીનું મુખ્યપ્રધાન કરશે ઇ-લોકાર્પણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.