ETV Bharat / state

Innovative power transmission line: વીજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં ખેડૂતોને થતા નુકસાનના વળતરમાં વધારો:ઊર્જા પ્રધાન

author img

By

Published : Jan 3, 2022, 8:36 PM IST

નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો (Innovative power transmission line)અને ટ્રાન્સમિશન ટાવર ઊભા(Power transmission tower) કરવા માટે રાજ્યના ખેડૂતોને થતા નુકસાનના વળતરમાં વધારો (Increase in compensation for losses incurred by farmers in the state)કરવમાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન (Damage to land, crops, orchards)અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો આ મહત્વનો નિર્ણય તા.30/12/2021ના ઠરાવથી કર્યો છે.

Innovative power transmission line: વીજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં ખેડૂતોને થતા નુકસાનના વળતરમાં વધારો:ઊર્જા પ્રધાન
Innovative power transmission line: વીજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં ખેડૂતોને થતા નુકસાનના વળતરમાં વધારો:ઊર્જા પ્રધાન

ગાંધીનગરઃ નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો (Innovative power transmission line)અને ટ્રાન્સમિશન ટાવર (Power transmission tower)ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો અને જમીનધારકોને નુકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવી છે. ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ (Energy Minister Kanubhai Desai)જણાવ્યું છે કે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના શ્(Chief Minister Bhupendra Patel)માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો આ મહત્વનો નિર્ણય તા.30/12/2021ના ઠરાવથી કર્યો છે.

ખેડૂતોને નુકસાન પેટા વળતરમાં વધારો

ઊર્જા પ્રધાને ઉમેર્યુ કે, ROW Corridor(Right of Way Corridor)ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5 ટકા બદલે બમણુ એટલે કે, 15 ટકા લેખે ખેડૂતોને ચૂકવણી કરવમાં આવશે. તથા ખેડૂતોના ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.12-01-2021 ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે.

આ પણ વાંચોઃ Consumer Court on Europe trip: થોમસ કુકને ગ્રાહક કોર્ટેની ફટકાર, 1-1 લાખ ચૂકવવા કર્યો આદેશ

જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10ટકા વધારો

જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના પ્રવર્તમાન, ઓન લાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10ટકા વધારો ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે અને એવરેજ 1 કિલોમીટરની લાઇન પેટે ખેડૂતને મળવાપાત્ર વળતરમાં આશરે 3 થી 4 ગણો વધારો થશે. આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.

આ પણ વાંચોઃ Murder Case In Ahmedabad : અમદાવાદમાં મંદિરના પૂજારીની કરાઈ હત્યા, સામાન્ય બાબતોમાં થઈ હતી માથાકૂટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.