ETV Bharat / state

દાદરા નગર હવેલીના સાંસદ ડેલકરની પ્રશાસક સાથે શુભેચ્છા મુલાકાત, 2 કલાક ચાલી ચર્ચા

author img

By

Published : Jun 12, 2019, 9:10 AM IST

દાદરા નગર હવેલીઃ અપક્ષ સાંસદ મોહન ડેલકરે મંગળવારે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સેલવાસના સચિવાલય ખાતે યોજાયેલી આ શુભેચ્છા મુલાકાત 2 કલાક સુધી ચાલી હતી. પ્રદેશના વિવિધ વિકાસશીલ પ્રોજેકટ અંગે, પ્રજાની સુખાકારી માટે સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સાંસદ ડેલકરની પ્રશાસક સાથે શુભેચ્છા મુલાકાત

દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી ભવ્ય વિજય મેળવનાર મોહન ડેલકરે વિજેતા બન્યા બાદ મંગળવારે બપોરે એક વાગ્યે પ્રથમ વખત દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન સચિવાલય ખાતે કર્યું હતું. આ શુભેચ્છા મુલાકાત 3 વાગ્યા સુધી એટલે કે સતત 2 કલાક સુધી ચાલી હતી. જેમાં ભાજપ સરકાર દ્વારા ચાલી રહેલા વિકાસના પ્રોજેકટ, લોકોની સુખાકારી માટેની સરકારી યોજનાઓ અને આગામી દિવસોમાં પ્રદેશની જરૂરિયાત મુજબના કર્યો હાથ ધરવા અંગેની ચર્ચા કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

દાદરા નગર હવેલીના સાંસદ ડેલકરની પ્રશાસક સાથે શુભેચ્છા મુલાકાત
બે કલાક ચાલેલી આ મીટિંગ દરમિયાન ભાજપના માજી સાંસદ નટુભાઈ પટેલ અને સેલવાસ નગર પાલિકાના પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ પણ પ્રશાસકની મુલાકાતે આવ્યાં હતા. આ બંને મહાનુભાવો ગણતરીની મીનિટોમાં જ પરત જતા રહ્યા હતાં. જે જોતા રાજકીય વર્તુળોમાં અને સરકારી અધિકારીઓમાં આ મુલાકાત આગામી દિવસોમાં કોઈક મહત્વની યોજના કે જાહેરાત માટેની હોવાની સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાંસદ બન્યા બાદ મોહન ડેલકરે હાલમાં જ દિલ્હીની મુલાકાત લઇ દાદરા નગર હવેલીમાં હંગામી ધોરણે કામ કરતા શિક્ષકોને કાયમી કરવાની રજૂઆત કરી હતી તો લોકસભા જીતની ખુશીમાં સાયલી ખાતે પ્રથમ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં આગામી દિવસોમાં પ્રદેશમાં પ્રશાસન સાથે મળી કેવા કાર્યો કરવામાં આવશે તે અંગેની ખાસ જાહેરાત પણ કરશે. તેવું સુત્રોએ જણાવ્યું હતું.

Intro:સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અપક્ષ સાંસદ મોહન ડેલકરે મંગળવારે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સેલવાસના સચિવાલય ખાતે યોજાયેલ આ શુભેચ્છા મુલાકાત 2 કલાક સુધી ચાલી હોય પ્રદેશના વિવિધ વિકાસશીલ પ્રોજેકટ અંગે પ્રજાની સુખાકારી માટે સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાની અટકળો લગાવવામાં આવી છે.




Body:દાદરા નગર હવેલીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી ભવ્ય વિજય મેળવનાર મોહન ડેલકરે વિજેતા બન્યા બાદ મંગળવારે પ્રથમ વખત દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું હતું. બપોરે એક વાગ્યે મોહન ડેલકર સેલવાસના સચિવાલય ખાતે પ્રશાસક પ્રફુલ પટેલને મળવા આવ્યા હતાં. આ શુભેચ્છા મુલાકાત 3 વાગ્યા સુધી એટલે કે સતત 2 કલાક સુધી ચાલી હતી. જેમાં ભાજપ સરકાર દ્વારા દાદરા નગર હવેલીમાં ચાલી રહેલા વિકાસના પ્રોજેકટ અંગે, લોકોની સુખાકારી માટેની સરકારી યોજનાઓ અંગે અને આગામી દિવસોમાં પ્રદેશ ની જરૂરિયાત મુજબના કર્યો હાથ ધરવા અંગેની ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બે કલાક ચાલેલી આ મિટિંગ અંગે મોહન ડેલકરે આ લોકસભા ચૂંટણીની જીત બાદની શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવ્યું હતું. તો, સાંસદ ડેલકર અને પ્રશાસક પટેલની આ મુલાકાત દરમ્યાન ભાજપના માજી સાંસદ નટુભાઈ પટેલ પણ પ્રશાસકની મુલાકાતે આવ્યા હતા. અને સેલવાસ નગર પાલિકાના પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ પણ પ્રશાસકની મુલાકાતે આવ્યાં હતા. આ બંને મહાનુભાવો ગણતરીની મિનિટોમાં જ પરત જતા રહ્યાં હતાં. જે જોતા રાજકીય વર્તુળોમાં અને સરકારી અધિકારીઓમાં આ મુલાકાત આગામી દિવસોમાં કોઈક મહત્વની યોજના કે જાહેરાત માટેની હોવાની સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે.




Conclusion:ઉલ્લેખનીય છે કે, સાંસદ બન્યા બાદ મોહન ડેલકરે હાલમાં જ દિલ્હીની મુલાકાત લઇ દાદરા નગર હવેલીમાં હંગામી ધોરણે કામ કરતા શિક્ષકોને કાયમી કરવાની રજુઆત કરી હતી. તો, બુધવારે લોકસભા જીતની ખુશીમાં સાયલી ખાતે પ્રથમ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં આગામી દિવસોમાં પ્રદેશમાં પ્રશાસન સાથે મળી કેવા કર્યો કરવામાં આવશે તે અંગેની ખાસ જાહેરાત પણ કરશે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

video spot
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.