બોટાદ: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા જરૂરિયાત મંદોને 131 ઘર વપરાશની ચીજ-વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj01-btd-botad131kanjiswamibirthday-gj10028_25042020161652_2504f_1587811612_936.jpg)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા દર વર્ષે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીની જન્મ જયંતી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી બોટાદ દિગંબર જૈન સંઘ દ્વારા કરવામાં આવે છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj01-btd-botad131kanjiswamibirthday-gj10028_25042020161652_2504f_1587811612_28.jpg)
લોકડાઉનની સ્થિતિમાં બોટાદ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા આજની 131મી જન્મ જયંતી ની ઉજવણી કરવાનું મુલતવી રાખવામાં આવ્યુ હતું. પરંતુ તેના બદલે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરિયાત મંદ લોકોને 131 ઘર વપરાશની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી.