ETV Bharat / state

અલંગમાં કેટલા મજૂરો પાસે ચૂંટણી કાર્ડ અને શું મતદાન પર મંદીની અસર થશે?

author img

By

Published : Nov 26, 2022, 3:24 PM IST

Updated : Nov 26, 2022, 4:13 PM IST

અલંગમાં કેટલા મજૂરો પાસે ચૂંટણી કાર્ડ અને શું મતદાન પર મંદીની અસર થશે?
અલંગમાં કેટલા મજૂરો પાસે ચૂંટણી કાર્ડ અને શું મતદાન પર મંદીની અસર થશે?

વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. ત્યારે અંલગમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો આવે છે. ત્યારે આ પરપ્રાંતીય મજૂરોને ચૂંટણી કાર્ડની સ્થિતિ અને મતદાનની સ્થિતિ વિશે ETV BHARATએ જાણવાની કોશિશ કરી હતી અને તેમની પાસે ચૂંટણી કાર્ડ છે કે નહી તેના વિશે જાણકારી મેળવી હતી.

ભાવનગર વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. ત્યારે દરેક મત કિંમતી છે. પરંતુ ધણા લોકો એવા પણ છે કે તેમની પાસે ચૂંટણી કાર્ડ જ નથી. અને કાતો પછી એમની પાસે ચૂંટણી કાર્ડ બનાવાની સુવિધાઓ આજૂબાજુમાં નથી. અથવા તો ધણા લોકો એવા પણ છે કે ચૂંટણી કાર્ડ શું છે તેના વિશે માહિતી જ નથી. અલંગમાં મજૂરોનું મતદાન જરૂરી પણ કેટલા પાસે ચૂંટણી કાર્ડ અને શું મતદાન પર મંદીની અસર થશે. ભાવનગરનું અલંગ સોસિયા શીપ રિસાયકલિંગ બ્રેકીંગ યાર્ડમાં (Socia Sheep Recycling Breaking Yard) એક સમયે 40 હજાર મજૂરો હતા.પરપ્રાંતિયો રોજીરોટી માટે અલંગ આવે છે. ત્યારે આ પરપ્રાંતીય મજૂરોને ચૂંટણી કાર્ડની સ્થિતિ અને મતદાનની સ્થિતિ વિશે ETV BHARATએ જાણવાની કોશિશ કરી હતી.

અલંગમાં કેટલા મજૂરો પાસે ચૂંટણી કાર્ડ અને શું મતદાન પર મંદીની અસર થશે?

રિસાયકલિંગ શિપબ્રેકિંગ યાર્ડ ભાવનગરનું અલંગ રિસાયકલિંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પરપ્રાંતિયો સૌથી વધારે મજૂરી કામ કરે છે. છેલ્લા 50 દાયકાથી દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવતા લોકો ગુજરાતના ચૂંટણી કાર્ડ પણ ધરાવે છે. પરંતુ 2022માં સૌથી મોટી તેમની સમસ્યાને પગલે તેઓ કિંમતી મત આપી શકશે નહીં.

એશિયાનું સૌથી મોટું અલંગ અલંગમાં કેટલા મજદૂર અને કેટલા ચૂંટણી કાર્ડ ધરાવતા એશિયાનું સૌથી મોટું અલંગ સોસિયા શિપ રિસાયકલિંગ યાર્ડમાં મજૂરોનું એક રજીસ્ટર્ડ યુનિયન પણ છે. અલંગ સોસિયા શિપ રિસાયકલિંગ જનરલ વર્કર એસોસિયેશન મજૂરો માટેનું યુનિયન કામ કરી રહ્યું છે. આ યુનિયનમાં હાલમાં 2022માં માત્ર 10 હજાર જેવા વર્કર છે. ચૂંટણી સમય છે પરંતુ મજૂરોની સંખ્યા નથી. ઉત્તરપ્રદેશ,બિહાર,બંગાળ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના મજૂરો અહીંયા રોજી રોટી મેળવી રહ્યા છે.

ચૂંટણી કાર્ડ ધરાવતા નથી અલંગમાં મજૂરોની સંખ્યા અંદાજે 20 થી 25 હજાર છે. પરંતુ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) મજૂરો ભાગીદાર નહિ થઈ શકે. પરપ્રાંતીય મજૂરો જેમાં ચૂંટણી કાર્ડ ધરાવનાર ઘણા મજૂરો છે. પરંતુ હાલમાં તેઓ મોટી સંખ્યામાં પોતાના વતન જતા રહ્યા છે. હાલમાં માત્ર 10 હજાર જેટલા મજૂરો છે. જેમાં ઘણા લોકો ચૂંટણી કાર્ડ ધરાવે છે તો ઘણા નવા મજૂરો હોવાથી ચૂંટણી કાર્ડ ધરાવતા નથી.

મંદીનો માહોલ મતદાન નહિ કરી શકવાનું કારણ વૈશ્વિક મુદ્દો અલંગ સોસિયા શિપ રિસાયકલિંગ યાર્ડમાં કામ કરતા મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા છે. વતન ગયેલા મોટા ભાગના મજૂરો ચૂંટણી કાર્ડ ધરાવે છે. જેથી અલંગમાં અનુમાન પ્રમાણે મતદાન ઓછું થવાની શક્યતા છે. વર્કર એસોસિયેશનના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, હાલમાં મંદીનો માહોલ હોવાથી શિપ આવતા નથી. કામ નહીં હોવાથી મજૂરો પોતાના વતન ચાલ્યા ગયા છે. જે છે આશરે 8 થી 10 હજાર તેમાં મોટાભાગના લોકો ચૂંટણી કાર્ડ ધરાવતા નથી.

મજૂરોની મુખ્ય સમસ્યા મજૂરોની સમસ્યા અને સરકાર પાસે અપેક્ષાઓમજૂરોના પ્રશ્ન ઉઠાવતું તેમનું યુનિયન સમસ્યા મુદ્દે એક જ વાત રટણ કરે છે. જો કે સુવિધા હોવાનું પણ તેઓ કબુલ્યા છે. યુનિયનના ઉપપ્રમુખ આર આર પ્રસાદે જણાવ્યું હતું કે મજૂરોની મુખ્ય સમસ્યા કામ છે. માઈગ્રેટ મજૂરો હોવાથી તેઓને કામ નહીં મળતા ચાલ્યા જાય છે. ત્યારે કાઉંમ મળવું જોઈએ. અહીંયા શિપબ્રેકરોએ ઘણી મજૂરોને સુવિધા આપી છે. PPE છે,કોલોની આપવામાં આવી છે. અને હોસ્પિટલ જેવી પણ સુવિધાઓ મળી રહે છે. એટલે મોટી કોઈ સમસ્યા નથી.

તંત્રની મહેનત વધુ મતદાન કરાવવા તંત્રની મહેનત શિપબ્રેકિંગ યાર્ડમાં અલંગમાં પરપ્રાંતીય મજૂરો વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે એક વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. અલંગમાં રીક્ષા મારફત મજૂરોને મતદાન કરવા પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. પરંતુ સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે ચૂંટણી કાર્ડ ધરાવતા મજૂરો પણ મતદાન કરવા રાઝી હોતા નથી. ઘણા એવા પરપ્રાંતિયો છે જેને ચૂંટણી કાર્ડ મળતું નથી તો ઘણા પરપ્રાંતીય મજૂરો ચૂંટણી કાર્ડ લેવા માંગતા નથી.

Last Updated :Nov 26, 2022, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.