ETV Bharat / state

ભાવનગર જિલ્લામાં કોંગો ફીવરનો આતંક યથાવત

author img

By

Published : Nov 12, 2019, 3:28 AM IST

Updated : Nov 12, 2019, 7:04 AM IST

ભાવનગર:કોંગોફીવર રોગે ભાવનગર જીલ્લાના વિવિધ ગામોમાં દેખા દીધા છે. અત્યારસુધીમાં ભાવનગર શહેર અને જીલ્લામાં કુલ17 જેટલાકોંગોફીવરના કેસો નોંધાયા છે. જે પૈકી 10 પોઝીટીવ કેસોમાં 5 લોકોના મોત નીપજ્યા હતા.જયારે ત્રણ દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તોવધુ એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવતા હાલ 3 દર્દીઓ ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે.

etv bharat bhavnagar

પશુઓમાં ઇતરડી મારફતે ફેલાતો કોંગો નામનો રોગ ભાવનગર જિલ્લાના 7 જેટલા ગામોમાં જોવા મળ્યો છે. જેમાં અલગ અલગ ગામોમાંથી અત્યારસુધીમાં કુલ 17 કોંગોફીવરના શંકાસ્પદ કેસો ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં સારવાર હેઠળ નોંધાયા હતા. જે પૈકી 10 લોકોનો રીપોર્ટ પોઝીટીવ અને 7 લોકોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા આ રોગ સામે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવાઓનો છંટકાવ તેમજ પશુપાલન વિભાગ દ્વારા ઇતરડીનો નાશ કરવા જેવી કામગીરી કરવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લામાં કોંગો ફીવર નો આતંક યથાવત

આરોગ્ય વિભાગની ટીમોએ જે તે ગામોમાં પહોચી આ બિમારી વધુ ના ફેલાય તે માટે યુદ્ધના ધોરણે ગામમાં આરોગ્ય લક્ષી સેવાઓ શરુ કરી છે. આરોગ્ય ખાતાની ટીમે ગામમાં પહોંચી અલગ અલગ સ્થળોએ ધુમાડો,દવાઓનો એક્શન પ્લાન તૈયાર કર્યા છે.

Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ : એવીબી

ખતરનાક ગણાતા કોંગોફીવર રોગે ભાવનગર જીલ્લાના વિવિધ ગામોમાં દેખા દીધા છે. અત્યારસુધીમાં ભાવનગર શહેર અને જીલ્લામાં કુલ ૧૭ જેટલા કોંગોફીવરના કેસો નોંધાયા છે. જે પૈકી ૧૦ પોઝીટીવ કેસોમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જયારે ત્રણ દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે તો આજે એક વધુ એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવતા હાલ ૩ દર્દીઓ ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે,Body:પશુઓમાં ઇતરડી મારફતે ફેલાતો કોંગો નામનો રોગ ભાવનગર જિલ્લાના  ૭ જેટલા ગામોમાં જોવા મળ્યો છે,  જેમાં અલગ અલગ ગામોમાંથી અત્યારસુધીમાં કુલ ૧૭ કોંગોફીવરના શંકાસ્પદ કેસો ભાવનગર ની સર.ટી. હોસ્પીટલમાં સારવાર હેઠળ નોંધાયા હતા. જે પૈકી ૧૦ લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જયારે ૭ લોકો નો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે ૧૦ લોકો સારવાર માં હતા તે પૈકી ૫ લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા જયારે ૩ ને સારું થઇ જતા રજા આપી દેવામાં આવી હતી તેમજ બે સારવાર હેઠળ રહેલા છે ત્યારે આજે ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય યુવાનને આજથી ૮ દિવસ પહેલા કોન્ગો ના લક્ષણો જાણતા સારવાર માં ખસેડ્યો હતો જેનો પણ રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો.  જયારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગ સામે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવાઓનો છંટકાવ તેમજ પશુપાલન વિભાગ દ્વારા ઇતરડી નો નાશ કરવા જેવી કામગીરી કરવામાં આવી રહી છે.Conclusion:કોંગોફીવરના કેસો  નોંધાતા આરોગ્ય વિભાગની ટીમો  જે તે ગામોમાં પહોચી આ બિમારી વધુ ના ફેલાય તે માટે યુદ્ધના ધોરણે  ગામમાં આરોગ્ય લક્ષી સેવાઓ શરુ કરી દેવામાં આવી છે.આરોગ્ય ખાતાની ટીમે ગામમાં પહોંચી અલગ અલગ સ્થળોએ ધુમાડો, દવાઓનો એક્શન પ્લાન તૈયાર કર્યા છે અને બીમારીના ચેપ આગળ ન વધે તેના માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોંગો ફિવર અતિ ખતરનાક માનવામાં આવે છે. જેવી રીતે સવાઈન ફલુ વકરે છે અને ટપોટપ મોત .

બાઈટ- એ. કે. તાવીયાડ- જીલ્લા આરોગ્ય અધિકારી.
Last Updated : Nov 12, 2019, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.