ETV Bharat / state

ચિતા પરના મૃતદેહને અગ્નિ દાહ પહેલા જ પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો, હત્યાની આશંકા

author img

By

Published : Dec 28, 2019, 3:20 PM IST

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં હત્યાની આશંકાના પગલે મહિલાના મૃતદેહનો સ્મશાનમાંથી કબજો મેળવી પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જે પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકાના પગલે પોલીસની કાર્યવાહી પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મહિલાના મોતનું સાચું કારણ બહાર આવશે.

Ankleswar
અંકલેશ્વરમાં હત્યાની આશંકા મહિલાના મૃતદેહનો સ્મશાનમાંથી કબજો

અંક્લેશ્વરના સ્મશાનમાં ચિતા પર સુવડાવેલા પરીણિતાના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હોવાનો ચોંક્વાનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાની હત્યા થઇ હોવાની પિયર પક્ષની આશંકાના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અંક્લેશ્વરના હસ્તી તળાવ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે રહેતાં અને મુળ યુપીના નંદકિશોર શર્મા શાકભાજીની ફેરી કરે છે. તેમની પત્ની મમતાનું શુક્રવારે રહસ્યમય રીતે મોત નીપજયું હતું. આથી નંદકિશોર તેમજ તેના સગાસંબંધીઓએ મૃતક મમતાની અંતિમ ક્રિયાની કવાયત હાથ ધરી હતી. તેઓ મૃતદેહને ગોલ્ડન બ્રીજના અંક્લેશ્વર છેડે આવેલા સ્મશાનમાં લઇ જઇ તેની અંતિમવિધી કરવાની તૈયારીમાં હતાં.

અંકલેશ્વરમાં હત્યાની આશંકા મહિલાના મૃતદેહનો સ્મશાનમાંથી કબજો

બીજી તરફ તેઓએ મૃતક મમતાના પરિવારજનોને કોઇ જાણ કરી ન હતી. જો કે, બાદમાં પિયર પક્ષને ઘટના અંગેની જાણ થતા મૃતક મમતાનો ભાઈ અંકલેશ્વર દોડી આવ્યો હતો અને પોલીસને આ બાબતની જાણ કરી હતી.

મૃતક મમતાની હત્યા થઇ હોવાની આશંકા પિયરપક્ષ દ્વારા વ્યક્ત કરાતા શહેર પોલીસે સ્મશાનમાંથી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પિયર પક્ષ દ્વારા આશંકા વ્યક્ત કરાઈ છે કે, મૃતકના પતિએ જ તેની હત્યા કરી છે. પોલીસ સમગ્ર મામલામાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટની રાહ જોઈ રહી છે, જે બાદ જ મમતાના મોત અંગેનું સાચું કારણ બાર આવશે.

Intro:-અંકલેશ્વરમાં હત્યાની આશંકાનાં પગલે મહિલાના મૃતદેહનો સ્મશાનમાંથી કબજો મેળવી પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો
-પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકાનાં પગલે પોલીસની કાર્યવાહી
-પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મહિલાના મોતનું સાચું કારણ બહાર આવશે          
Body:અંક્લેશ્વરમાં સ્મશાનમાં ચિતા પર સુવડાવેલી પરીણિતાના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હોવાનો ચોક્વાનારો કિસ્સો સામે આવ્યો છે.મહિલાની હત્યા થઇ હોવાની પિયર પક્ષની આશંકાનાં પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી Conclusion:અંક્લેશ્વરના હસ્તીતળાવ સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે રહેતાં અને મુળ યુપીના નંદકિશોર શર્મા શાકભાજીની ફેરી કરે છે. તેમની પત્ની મમતાનું ગત રોજ રહસ્યમય રીતે મોત નીપજયું હતું આથી નંદકિશોર તેમજ તેના સગાસંબંધીઓએ મૃતક મમતાની અંતિમ ક્રિયાની કવાયત હાથ ધરી હતી. તેઓ મૃતદેહને ગોલ્ડન બ્રીજના અંક્લેશ્વર છેડે આવેલા સ્મશાનમાં લઇ જઇ તેની અંતિમવિધી કરવાની પેરવીમાં હતાં. બીજી તરફ તેઓએ મૃતક મમતાના પરિવારજનોને કોઇ જાણ કરી ન હતી. જો કે બાદમાં પિયર પક્ષને ઘટના અંગેની જાણ થતા મૃતક મમતાનો ભાઈ અંકલેશ્વર દોડી આવ્યો હતો અને પોલીસને આ બાબતની જાણ કરી હતી.મૃતક મમતાની હત્યા થઇ હોવાની આશંકા પિયરપક્ષ દ્વારા વ્યક્ત કરાતા શહેર પોલીસે સ્મશાનમાંથી મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.પાય પક્ષ દ્વારા આશંકા વ્યક્ત કરાઈ છે કે મૃતકના પતિએ જ તેની હત્યા કરી છે.પોલીસ સમગ્ર મામલામાં પોસ્ટ મોર્ટમ રીપોર્ટની રાહ જોઈ રહી છે જે બાદ જ માંજીલાના મોત અંગેનું સાચું કારણ ભાર આવશે


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.