ETV Bharat / state

સાબરકાંઠાના આરોગ્ય કર્મીઓએ તંત્રને આપ્યું આવેદન પત્ર

author img

By

Published : Apr 20, 2021, 9:54 PM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે જિલ્લા આરોગ્ય કર્મીઓએ ગઈ રોજ થયેલી અસુવિધા મામલે આવેદનપત્ર આપી યોગ્ય સારવાર ન મળે તો આગામી સમયમાં કામકાજથી અળગા થવાની ચીમકી ઉચ્ચારી છે.

આરોગ્ય કર્મીઓએ સુવિધા મામલે કરી રજૂઆત
આરોગ્ય કર્મીઓએ સુવિધા મામલે કરી રજૂઆત

  • આરોગ્ય કર્મીઓએ સુવિધા મામલે કરી રજૂઆત
  • યોગ્ય સુવિધા આપવા લેખિતમાં રજૂઆત
  • સુવિધા ન મળે તો કામકાજ ન કરવા આવેદન અપાયું

સાબરકાંઠા: જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા મંગળવારે તંત્રને અલ્ટીમેટમ આપી આગામી સમયમાં સુવિધા આપવા રજૂઆત કરાઇ છે. જેમાં જિલ્લા કલેક્ટરે કર્મચારીઓ માટે બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન રિઝર્વ રાખવા સૂચના આપવામાં આવી છે. જોકે તંત્રની સૂચના હોવા છતાં કર્મચારીઓ માટે આરોગ્ય તંત્રએ કોઈ સુવિધા ન કરતા તંત્રની લાપરવાહીને પગલે ગઈ રોજ એક આરોગ્ય કર્મચારીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

આ પણ વાંચો: બે વખત કોરોના સંક્રમિત થયા બાદ પણ ભાવનગરના યુવાને નિભાવી કોરોના વોરિયર્સની ભૂમિકા

કોવિડ-19ની કામગીરીથી અળગા રહેવા ચીમકી ઉચ્ચારી

યોગ્ય સારવાર અને વેન્ટિલેટર ન મળતા ગઈ કાલે આરોગ્ય કર્મચારીનું મૃત્યુ થતાં મામલો ગરમાયો છે. જેના પગલે મંગળવારે કોઈ ચોક્કસ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બુધવારથી આરોગ્ય કર્મચારીઓ કોવિડ-19ની કામગીરીથી અળગા રહેવા ચીમકી ઉચ્ચારી છે.

તંત્ર દ્વારા સમજાવટનો પ્રયાસ

એક તરફ દિન-પ્રતિદિન કોરોના મહામારીને પગલે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના બેડ ખુટી રહ્યા છે. તેવા સમયે સંજોગે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનારા આરોગ્ય કર્મીઓમાં ઉભો થયેલો સંતોષ તંત્ર માટે માથાનો દુખાવો બની છે. જોકે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી સામે અપાયેલા આવેદનપત્રના પગલે તંત્ર દ્વારા હાલ પૂરતો સમજવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

આ પણ વાંચો: કોરોના વોરિયર્સ તરીકે સુરત ફાયર વિભાગ પણ અગ્રેસર રહ્યું

આગામી સમયમાં આ મામલે ચોક્કસ પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી ત્યારે જોવું એ રહ્યું કે, આગામી સમયમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનારા આરોગ્ય કર્મચારીઓ આ મામલે તંત્ર કેવા અને કેટલા પગલાં ભરે છે તે મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.