ETV Bharat / state

Ambaji Parikrama Mahotsav: અંબાજીમાં આગામી 8 એપ્રિલે શરૂ થશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

author img

By

Published : Apr 7, 2022, 12:39 PM IST

Updated : Apr 7, 2022, 1:45 PM IST

યાત્રાધામ અંબાજીમાં (Ambaji Parikrama Mahotsav)આગામી 8, 9 અને 10 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થનાર છે. જેને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુકશે. તથા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. યાત્રાધામની મોબાઈલ એપ તથા અંબાજી ટેમ્પલ બુકીંગ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાશે.

Ambaji Parikrama Mahotsav: અંબાજીમાં આગામી 8 એપ્રિલે શરૂ થશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
Ambaji Parikrama Mahotsav: અંબાજીમાં આગામી 8 એપ્રિલે શરૂ થશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8, 9 અને 10 એપ્રિલે (Ambaji Parikrama Mahotsav)અંબાજીના ગબ્બરગઢમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થનાર છે. જેને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુકશે અને તેની સાથે રુપીયા 17 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થનાર છે. ત્યારે તેને લઈ યાત્રાધામ વિકાસબોર્ડ તથા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરાયેલી તડામાર તૈયારીઓ હવે અંતિમ ચરણમાં જોવા મળી રહી છે.

પરિક્રમા મહોત્સવ

51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ - અંબાજીમાં ભાદરવી પુન ના મેળો અને જૂનાગઢની લીલી પરિક્રમા ની જેમ પ્રતિવર્ષ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. આ પરિક્રમા મહોત્સવ 8 એપ્રિલ થી શરુ થનાર છે. ત્યારે ગબ્બર ઉપર ત્રિ દિવસીય કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો , સંસ્કૃતધામ, રજોપચાર યજ્ઞ, આનંદ ના ગરબા, પરિક્રમા પથ પર પાલખી યાત્રા, મહા આરતી સહિતના અનેક કાર્યક્રમ યોજાનાર છે. પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસ 8 એપ્રિલના રોજ મુખ્યપ્રધાનના હસ્તે કોટેશ્વર મંદિર ખાતે વિકાસનાકાર્યોનું ભૂમિ પૂજન, તેમજ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ કરાશે.

આ પણ વાંચોઃ Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં જવારા વાવીને ભક્તિ ભાવપૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યું

લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્દઘાટન - અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી યાત્રાધામની મોબાઈલ એપ તથા અંબાજી ટેમ્પલ બુકીંગ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાશે. તેમજ સાંજે ગબ્બર તળેટી ખાતે યોજાનાર ત્રિ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુકશે અને ભારતના સૌથી મોટા રોક સ્ટોન પર થનાર લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્દઘાટન કરશે. આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત રાજ્ય પ્રધાનો તેમજ સંસદ સભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે આ તમામ કાર્યક્રમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે.

આ પણ વાંચોઃ Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં નવે દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પરમિશન, દર્શનના સમયમાં ફેરફાર

Last Updated :Apr 7, 2022, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.