ETV Bharat / state

51 Shakti Peeth Mahotsav Ambaji: અંબાજી ખાતે 8 એપ્રિલથી યોજાશે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

author img

By

Published : Mar 26, 2022, 8:24 PM IST

અંબાજી ખાતે 8 એપ્રિલથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ (51 Shakti Peeth Mahotsav Ambaji)નું આયોજન થવા જઈ રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ આ મહોત્સવ દરમિયાન અંબાજી આવશે તેવી શક્યતા છે. પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે 14 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

51 Shakti Peeth Mahotsav Ambaji: અંબાજી ખાતે આગામી 8 એપ્રિલથી યોજાશે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
51 Shakti Peeth Mahotsav Ambaji: અંબાજી ખાતે આગામી 8 એપ્રિલથી યોજાશે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

અંબાજી: યાત્રાધામ અંબાજી (Ambaji shakti peeth) ખાતે આગામી તારીખ 8 એપ્રિલથી ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ (51 Shakti Peeth Mahotsav Ambaji) યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનારા શ્રી 51 શક્તિપીઠ મહોત્સવના આયોજન દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજી (CM Bhupendra Patel At Ambaji) આવશે તેવી સંભાવનાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મંદિરના વહીવટદાર સહિત અધિકારીઓની ટીમ અંબાજીના ગબ્બર (Ambaji Temple Gabbar) ખાતે પહોંચી હતી.

મંદિરના વહીવટદાર સહિત અધિકારીઓની ટીમ અંબાજીના ગબ્બર ખાતે પહોંચી હતી.

અંબાજીમાં 51 શક્તિપીઠો- યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના 51 શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું હતું. દેશ અને વિદેશોમાં શ્રીલંકા (Shakti Peeth In Srilanka), બાંગ્લાદેશ (Shakti Peeth In Bangladesh), નેપાળ (Shakti Peeth In Nepal), પાકિસ્તાન (Shakti Peeth In Pakistan) વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજી (51 Shakti Peeth In Ambaji)માં કરવામાં આવેલું છે.

આ પણ વાંચો: Encroachment In Ambaji: અંબાજીમાં ત્રિદિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવને જોતાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ

51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન- એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ 51 શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે આવેલા કલેક્ટરે જણાવ્યું હતું કે, જૂનાગઢ ગિરનારની પરિક્રમા (junagadh girnar parikrama)ની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી હાથ ધરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: Donations to Ambaji Temple: રાજ્યના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટિએ કોરોનામાં અગ્રેસર

લાઇટ એન્ડ શો કરવામાં આવશે- આ પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે 14 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સાથે મહાઆરતી (Ambaji Maha Arti) અને લાઇટ એન્ડ સાઉન્ડ શો (Light and sound show Ambaji) તેમજ કોટેશ્વરના વિકાસના કામોના લોકાર્પણનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.