ETV Bharat / state

આણંદના પધારીયા વિસ્તારના રહીશોએ ઉઠાવી અશાંત ધારાની માગ

author img

By

Published : Mar 18, 2020, 2:28 AM IST

Updated : Mar 18, 2020, 2:54 AM IST

આણંદ શહેર પાસે આવેલા પધરીયા વિસ્તારમાં રહેતા રહીશોએ આણંદ તંત્રને અનેક રજૂઆત કરીને તેમના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માગ કરી હતી.

આણંદના પધારીયા વિસ્તારના રહીશોએ ઉઠાવી અશાંત ધારાની માગ
આણંદના પધારીયા વિસ્તારના રહીશોએ ઉઠાવી અશાંત ધારાની માગ

આણંદઃ શહેરમાં આવેલા પધરીયા વિસ્તારમાં વસતા લઘુમતી ખ્રિસ્તી પરિવારોને નિશાન બનાવી હેરાન કરવાનું શરૂ કરાયું છે. ગત સપ્તાહે સંપત્તિ ઉપર દેવળ પાસે જ હુમલો થયો હતો. આ ઉપરાંત દરરોજ છેડતીના બનાવો પણ બને છે, ત્યારે આજે આ વિસ્તારના રહીશોએ વિમલ કોલોની પાસે એકઠા થઇ અશાંત ધારો લાગુ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા.

આણંદના પધારીયા વિસ્તારના રહીશોએ ઉઠાવી અશાંત ધારાની માગ
છેલ્લા કેટલાય સમયથી પધરિયા વિસ્તારમાં આવેલી 30થી 32 જેટલી સોસાયટીના રહીશોને યેનકેન પ્રકારે હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, દેવ ચોકડી પાસે અમુક સમયે કેટલાક લઘુમતિ કોમના યુવાનો દ્વારા બાઇક લઇને સ્થાનિકોને આવતા-જતાં હેરાન કરવામાં આવતા હોવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે, વિદ્યાર્થીઓ સ્કૂલે જતી હોય કે વડીલો રસ્તા પર ચાલતા નીકળ્યા હોય ત્યારે સાધન પાર્ક કરી જણાવેલા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની ઘટનાઓ બની રહી છે.

સમાજના એક દંપતી પર પરત આવી રહેલા લઘુમતી કોમના યુવાનો દ્વારા ચપ્પાથી જીવલેણ હુમલો કરવાની ઘટના બનતા સ્થાનિક લોકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તેમના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી કાયમી શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રને જાગૃત કરવા વિમલ કોલોની પાસે એકઠા થઈ સૂત્રોચાર કરી તંત્ર અને રજૂઆત કરવામાં આવી હતી.

Last Updated : Mar 18, 2020, 2:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.