આણંદ : જિલ્લા કલેકટરના હુકમથી આણંદ શહેર અને જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા નથી. તેવા વિસ્તારોમાં વેપાર વ્યવસાયોને ચાલુ કરવા કલેકટર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેમાં સરકારે નિયત કરેલ માર્ગદર્શિકા ફોલો કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરવા તંત્ર એ લોકડાઉનમા આંશિક રાહત આપવા તથા સોશ્યિલ ડીસ્ટન્સ અને આરોગ્યલક્ષી તમામ સૂચનાઓનું પાલન કરી વેપારીને વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આણંદ શહેરમાં વેપારીઓને વ્યવસાય કરવા આંશિક છૂટ
28 એપ્રિલ સુધી કોરોનાના આણંદ જિલ્લામાં કુલ 65 કેસ સામે આવ્યા છે. ત્યારે જિલ્લાના બે શહેર કોરોના હોસ્ટપોટ બન્યા છે. તે સિવાય જિલ્લામાં અન્ય સ્થળો પર કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું નથી. ત્યારે આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં લોકડાઉનના આંશિક રાહત આપવાના આવી છે.
આણંદ : જિલ્લા કલેકટરના હુકમથી આણંદ શહેર અને જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા નથી. તેવા વિસ્તારોમાં વેપાર વ્યવસાયોને ચાલુ કરવા કલેકટર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેમાં સરકારે નિયત કરેલ માર્ગદર્શિકા ફોલો કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરવા તંત્ર એ લોકડાઉનમા આંશિક રાહત આપવા તથા સોશ્યિલ ડીસ્ટન્સ અને આરોગ્યલક્ષી તમામ સૂચનાઓનું પાલન કરી વેપારીને વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવી છે.