ETV Bharat / state

ગુરુકુળમાં ગુરુએ શિષ્યને ઢોરમાર માર્યો, વાલીએ કરી ફરિયાદ

author img

By

Published : Dec 27, 2022, 4:25 PM IST

અમરેલીમાં આવેલ તરવડા સ્વામીનારાયણ(Tarvada Swaminarayan Gurukul of Amreli) ગુરુકુળ વિદ્યાની સંકુલ ગણવામાં આવે છે. પરંતુ કદાચ વાલીઓ હવે તેમના બાળકોને ત્યાં ભણાવતા પહેલા વિચાર કરશે. કેમકે રવડા સ્વામીનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર (taravada Gurukul in student beaten teacher) માર્યાની ફરિયાદ કરાઈ છે.

ગુરુકુળમાં ગુરુએ શિષ્યને ઢોરમાર માર્યો, વાલીએ કરી ફરિયાદ
ગુરુકુળમાં ગુરુએ શિષ્યને ઢોરમાર માર્યો, વાલીએ કરી ફરિયાદ

ગુરુકુળમાં ગુરુએ શિષ્યને ઢોરમાર માર્યો, વાલીએ કરી ફરિયાદ

અમરેલી શિક્ષક હવે શિક્ષા આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓને માર આપી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આવા બનાવો સામે આવે છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને માર મારતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ અમરેલીમાં બન્યો છે. અમરેલીમાં આવેલા તરવડા સ્વામીનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર (taravada Gurukul in student beaten teacher) માર્યાની ફરિયાદ કરાઈ હતી.

ગંભીર ઈજાઓ ખાંભાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ધોરણ 12 સાઈન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચપલ (taravada Gurukul in student beaten teacher) અને ધોકા વડે બે-ફામ વિદ્યાર્થીને પગ અને કમરના ભાગે માર મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતાં વાલીને કરવામાં આવતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતાં ખાંભા સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયો હતો. વાલીએ શિક્ષક પિયુષ સાવલિયા વિરૂદ્ધ ખાંભા પોલીસે ફરીયાદ નોંધીને અમરેલી તાલુકા પોલીસમાં (Amreli Taluka Police) મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

આ પણ વાંચો શિક્ષા આપવાને બદલે આપી સજા, પ્રોફેસરના કારણે વિદ્યાર્થીની જીંદગી ખતરામાં

વિદ્યાર્થીને શિક્ષકનો ઢોર માર અમરેલીની તરવડા સ્વામીનારાયણ ગુરુકુળમાં(Tarvada Swaminarayan Gurukul of Amreli) અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારવા બાબતે પ્રિન્સિપાલે આપ્યું નિવેદન આપતા કહ્યું કે વિદ્યાર્થીએ અપશબ્દો બોલતા શિક્ષકે રૂબરૂ સાંભળતા તેમને માત્ર ઠપકો આપવામા આવ્યો હતો. એમને એટલો કોઈ માર મારવામાં આવ્યો નથી. વિદ્યાર્થી શિક્ષક પાસે કનફેશન કર્યું. અને માફી પણ માંગી.

વિદ્યાર્થીને ઘરે લઈ બીજા દિવસે વાળીને જાણ કરવામાં આવી વાલી આવ્યા શિક્ષકને મળ્યા પ્રિન્સિપાલને મલ્યા અને રાજીખુશીથી વિદ્યાર્થીને ઘરે લઈ ગયા. આજ સવારે પોલીસ દ્વારા અમને જાણ કરવામાં આવી વિદ્યાર્થી અને વાલી દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે. એ અંગે અમો પોલીસને પૂરતો સહકાર આપીશું. અને જે કાંઈ આમારા સ્ટાફ દ્વારા પગલાઓ લેવાણા છે. તેમની સામે અમે શિક્ષાત્મક પગલાઓ લઈશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.