અમદાવાદમાં જ્યારે સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 75 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે. કુપોષણ જન્મજાત બીમારી, અધૂરા મહિને જન્મતા બાળકોના મોતનું કારણ છે.
આ મુદ્દે વાત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. ભૂલ કોની છે? એ બાબતની તપાસ ચાલુ છે. તમામ બાબતોનું ધ્યાનપૂર્વક અભ્યાસ થઇ રહ્યો છે. પરંતુ ક્યાં કોની કચાસ રહી ગઈ છે? આ અંગે વાત કરતા મુખ્ય પ્રધાન રૂપાણીએ અમે એ અંગે તપાસ કરી રહ્યા છીએ, એમ કહીને ચાલતી પકડી હતી.