ETV Bharat / state

અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠકના મતદારો માટે આ છે સૌથી મોટી સમસ્યા જેનો ઉકેલ જોઇએ

author img

By

Published : Oct 31, 2022, 6:45 PM IST

Updated : Oct 31, 2022, 9:50 PM IST

અમદાવાદ શહેરમાં કુલ 16 વિધાનસભા બેઠકોનો ( Total 16 assembly seats in Ahmedabad city ) સમાવેશ થાય છે. જે પૈકી અમુક બેઠકો પર સ્થાનિક સમસ્યાઓ પ્રત્યે લોકોનો રોષ છે. મણિનગર વિધાનસભા બેઠક ( Maninagar Assembly Seat ) પર કાંકરિયા તળાવ, L G હોસ્પિટલ જેવા મહત્ત્વના સ્થળ છે. ત્યાં અમુક વિસ્તારોમાં હાલમાં પણ ચોમાસાના પાણીનો ભરાવો તેમજ ગટરના પાણીની સમસ્યા ( Local problem ) જોવા મળી રહી છે.

અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠકના મતદારો માટે આ છે સૌથી મોટી સમસ્યા જેનો ઉકેલ જોઇએ
અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠકના મતદારો માટે આ છે સૌથી મોટી સમસ્યા જેનો ઉકેલ જોઇએ

અમદાવાદ અમદાવાદ શહેરની કુલ 16 બેઠકોમાં ( Total 16 assembly seats in Ahmedabad city ) 16 નંબર વિધાનસભાની બેઠક મણિનગર વિધાનસભામાં બેઠક ( Maninagar Assembly Seat ) ની વાત કરવામાં આવે તો અહીંયા છેલ્લે ઘણા સમયથી ભાજપનું શાસન રહ્યું છે. છેલ્લા બે ટર્મથી સુરેશ પટેલ ભારતીય જનતા પાર્ટી તરફથી જીતતા આવ્યા છે. આ વિધાનસભા બેઠક બેઠક પર ઐતિહાસિક કાંકરિયા તળાવ ( Kankariya Lake ) તેમજ અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં ગણતરી થતી એમાંની એક એલજી હોસ્પિટલ પણ આ વિધાનસભા બેઠક પર આવે છે. અહીંયા ચોમાસામાં વરસાદી પાણી ( Water Logging in Maninagar ) ભરાવાની સમસ્યા ( Local problem ) જોવા મળી આવે છે.

સ્થાનિકોની સમસ્યા પર ધ્યાન આપવા માગ
સ્થાનિકોની સમસ્યા પર ધ્યાન આપવા માગ

વિધાનસભા બેઠકના મતદારો મણિનગર વિધાનસભા બેઠક ( Maninagar Assembly Seat )ના ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મતદારોની વાત કરવામાં આવે તો આ વિધાનસભા બેઠક પર 2,76,044 કુલ મતદારો ( Gujarat Assembly Election 2022 ) છે. જેમાં 1,43,381 પુરુષ અને 1,32,656 મહિલા જ્યારે અન્ય 7 મતદારો છે. આ વિધાનસભા બેઠક પર મણિનગર, ઘોડાસર, વટવા, લાંભા ઇસનપુર, ચંડોળા જેવા વોર્ડનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર દરેક ધર્મના લોકો જોવા મળી આવે છે. અહીં તમામ ધર્મના ધાર્મિક સ્થાનો પણ મણિનગર વિધાનસભામાં આવેલા છે. અહીંયા મંદિર,ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા જોવા ધાર્મિક સ્થળો મળી આવે છે.પરંતુ આ બેઠક પર પાટીદાર,બ્રાહ્મણ,ઓબીસી અને દલિત સમાજનું પ્રભુત્વ જોવા મળે છે.

બેઠક પર ધારાસભ્યની સ્થિતિ અમદાવાદ શહેરની મણિનગર વિધાનસભા બેઠક ( Maninagar Assembly Seat )પર ભાજપ દ્વારા સુરેશ પટેલ અને કોંગ્રેસ તરફથી શ્વેતા બ્રહ્મભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી જેમાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલને 1,16,113 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટને 40,914 મત મળ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલનો 75 હજારથી પણ વધુ મતથી વિજય થયો હતો.

વિકાસના કામ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે તે તમામ કામો કરવામાં આવે છે

છેલ્લા 5 વર્ષમાં વિકાસના કામો મણિનગર વિધાનસભા બેઠક ( Maninagar Assembly Seat )ના ધારાસભ્ય સુરેશ પટેલ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે પણ વિકાસના કામ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. તે તમામ કામો કરવામાં આવે છે. મણિનગર વિધાનસભાની અંદર આવતા વિસ્તારમાં કોઈ પણ સોસાયટી એવી ભાગ્ય જોવા મળશે કે જ્યાં રોડ રસ્તા લાઈટ અને ગટરની સમસ્યા રહ્યું હોય જે પણ સોસાયટીમાં બાકી હતી ત્યાં કોર્પોરેટરને મોકલીને સર્વે કરવામાં આવ્યો હતો. લગભગ 97 ટકા જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વખતે ગ્રાન્ટ L.G. હોસ્પિટલમાં આપવામાં આવી હતી. લાંભા વોર્ડમાં ટીપી રોડ બનાવવામાં આવ્યા છે. નવુ પંપીંગ સ્ટેશન પણ બનાવવામાં આવે છે. જેથી આવનાર સમયમાં પાણીની સમસ્યા પણ દૂર થશે. તાજેતરમાં જ એલજી હોસ્પિટલનું નવીનીકરણ ( Renovation of LG Hospital ) હાથ ધરવામાં આવ્યું છે.

બેઠક અંગે વિપક્ષનું વલણ મહિલા કૉંગ્રેસ મહામંત્રી ડોલી દવે Etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય જે વિકાસની વાતો કરે છે તે માત્ર ને માત્ર ખોટી જ છે બે ત્રણ સારા કામ કરવાથી વિકાસ કહેવાતો નથી. જવાહર ચોક થી વલ્લભવાડી રોડ પર વર્ષોથી ચોમાસા દરમિયાન ઘુટણસમા પાણી ભરાઈ જાય છે. જેને કારણે બાજુમાં આવેલું હોસ્પિટલમાં પણ જવુ મુશ્કેલ બની જાય છે. આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા છે. જેના કારણે નાગરિકોને રોડ પર વાહન પાર્ક કરવા પડે છે. ચંડોળા, ઇસનપુર,લાભા,વટવા વિસ્તારના તળાવની હાલત જોવા મળી રહી છે વરસાદના પાણીથી ગટર ઉભરાઈ રહે છે. રસ્તાની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે.

સ્થાનિક મત મણિનગરના સ્થાનિક મનન વોરાએ જણાવ્યું હતું કે મણિનગર વિધાનસભા બેઠક ( Maninagar Assembly Seat )માં ઘણાખરા વિકાસના કામો તો થયા છે.પરંતુ હજુ પણ જે વર્ષો જૂની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને જવાહર ચોકમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહ્યા છે. મણીનગર રેલ્વે ક્રોસિંગની પણ સમસ્યાઓ ઘણા સમયથી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં ત્યાં બ્રિજ બનાવવામાં આવતો નથી. ચંડોળા તળાવ પણ હાલતમાં જોવા મળી રહ્યું છે. અમે આશા રાખી રહી છે કે આવનાર સમયમાં જે પણ સરકાર બને તે મણીનગરની અંદર જે સમસ્યાઓ પડી રહી છે તે સમસ્યાઓ દૂર કરવામાં આવે અને અમે તેવા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઉમેદવારને મત ( Gujarat Assembly Election 2022 ) આપીશું જે અમારી વર્ષો જૂની સમસ્યાઓ છે તે દૂર કરી શકે.

Last Updated : Oct 31, 2022, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.