ETV Bharat / state

Gujarat University Program:ગુજરાત યુનિવર્સિટી સિંહ ગર્જના કાર્યક્રમનો NSUI દ્વારા કાર્યક્રમનો વિરોધ

author img

By

Published : Dec 9, 2021, 8:53 PM IST

Gujarat University Program:ગુજરાત યુનિવર્સિટી સિંહ ગર્જના કાર્યક્રમનો NSUI દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો
Gujarat University Program:ગુજરાત યુનિવર્સિટી સિંહ ગર્જના કાર્યક્રમનો NSUI દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો

ગુજરાત યુનિવર્સીટીમાં(Gujarat University Program) આજે ABVP દ્વારા સિંહ ગર્જના નામનો કાર્યક્રમ(Gujarat University Lion Roar Program ) રાખવામાં આવ્યો છે. જેમાં ભાજપના આગેવાન અને ગૃહ રાજ્ય પ્રધાન હાજર રહેવાના હતા. ત્યારે એક તરફ સેનાના જવાન તથા અધિકારી શહીદ થયા છે અને બીજી તરફ ABVP દ્વારા આ રીતે કાર્યક્રમ કરીને તાયફા કરી રહ્યા છે તેવો NSUIએ (Opposition to the program by NSUI )આક્ષેપ કર્યો છે.

  • દેશ શોકમાં અને ABVP અને ભાજપ સાથે મળીને યુનિવર્સીટીમાં તાયફા કરી રહી છે: NSUI
  • રાષ્ટ્રીય શોકમાં આ પ્રકારના કાર્યક્રમ કરવા કેટલા યોગ્ય:NSUI
  • ભાજપ અને ABVP એ શરમ કરવાની જરૂર : NSUI

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University Program)ABVP દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને વિદ્યાર્થી સંમેલનનો સિંહ ગર્જના નામનો કાર્યક્રમ યોજાયો (Gujarat University Lion Roar Program ) હતો. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ(Gujarat Bharatiya Janata Party) પ્રધાન પ્રદીપસિંહ વાઘેલા, ક્ષેત્રીય સંગઠન પ્રધાન અજય ઠાકુર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું આજના દિવસે કાર્યક્રમ યોજાતા NSUI એ વિરોધ(Opposition to the program by NSUI ) કર્યો છે.

ABVP અને ભાજપના નેતાઓને કોઈ લાગણી નથી

ત્યારે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે ગઈકાલે દેશના સેનાના જવાન અને અધિકારી શાહિદ થયા છે. જેને લઈને સમગ્ર દેશમાં શોકની લાગણી છે ત્યારે ABVP દ્વારા આજે ભાજપના નેતા અને રાજ્યના પ્રધાન હાજર રહે છે. શોક વચ્ચે ABVP કાર્યકર્મના નામે તાયફા કરી રહ્યું છે. ત્યારે આવતીકાલે NSUI દ્વારા વિરોધ કરવામાં આવશે. જ્યારે ABVP અને ભાજપના નેતાઓને કોઈ લાગણી નથી. ત્યારે ABVP અને ભાજપે શરમ કરવાની જરૂર છે.

ગુજરાત યુનિવર્સિટીના સત્તધીશો પણ કાર્યક્રમમાં હાજર

જ્યારે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીના સત્તધીશો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યારે તેઓ કેમ કાર્યક્રમમાં હાજર રહે છે ? કોના દ્વારા તેમને હાજર રહેવાની સૂચના અપાઈ હતી ? જ્યારે ભાજપ અને ABVP એ રાષ્ટ્રીય શોક માનવાની જગ્યાએ તાયફા કરી રહ્યું છે.NSUIઆનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે દેશમાં અનેક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા તેમ છતાં ABVP દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના પ્રદેશ પ્રધાન પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Wall To Hide Slums View In Ahmedabad : એરપોર્ટથી સરદારનગર સુધી સ્લમ ઢાંકવા દીવાલનો વિરોધ કરતાં સ્થાનિકો

આ પણ વાંચોઃ રાજકોટમાં બ્રીજનાં કામો ઘીમી ગતિએ ચાલતાં રોજ ટ્રાફિકની લાગે છે લાંબી કતારો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.