ETV Bharat / state

અંગ્રેજોને ટેકો કરવા વાળા તાનાશાહો દેશ અને રાજ્યમાં રાજ કરી રહ્યા છેઃ જગદીશ ઠાકોર

author img

By

Published : Aug 9, 2022, 3:22 PM IST

દેશ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav )ઉજવવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં ભારત જોડો તિરંગા યાત્રાનું (Har ghar tiranga champion) આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કૉંગ્રેસના (Gujarat Congress) ગુજરાત કોલેજથી ગાંધી આશ્રમ સુધી યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડ્યા હતા. તે સમયે અંગ્રેજોની મદદ કરનાર લોકો આજ દેશ અને રાજ્યમાં શાસન કરી રહ્યા છે.

અંગ્રેજોને ટેકો કરવા વાળા તાનાશાહો દેશ અને રાજ્યમાં રાજ કરી રહ્યા છેઃ જગદીશ ઠાકોર
અંગ્રેજોને ટેકો કરવા વાળા તાનાશાહો દેશ અને રાજ્યમાં રાજ કરી રહ્યા છેઃ જગદીશ ઠાકોર

અમદાવાદ: દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી (Azadi ka Amrit Mohotsav )રહી છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress)દ્વારા ગુજરાત કોલેજ ખાતે આવેલ શહીદ વીર કિનારાવાલા સ્મારક થી ગાંધી આશ્રમ સુધી ભારત જોડો તિરંગા યાત્રાનું (Bharat Jodo Tiranga Yatra )આયોજન કરવામાં આવ્યું છે. દરેક રાજકીય પક્ષ દ્વારા અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ

કૉંગ્રેસે અંગ્રેજો સામે અહિંસક આંદોલન શરૂ કર્યું હતું -જેમાં ગુજરાત કૉંગ્રેસે (Gujarat Congress)ગુજરાત કોલેજથી ગાંધી આશ્રમ સુધી ભારત જોડો તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું.જેમા કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય હિમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલા સહિતના નેતા હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 8 ઓગસ્ટ 1942ના રોજ કૉંગ્રેસ કાર્યકારી સમિતિમાં દ્વારા ભારત છોડોનો ઠરાવ રજૂ થયો હતો.

આ પણ વાંચોઃ દેશભક્તિના રંગમાં રંગાયા આ ગાયક કલાકાર, બનાવી નાખ્યું નવું ગીત

બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું - 9 ઓગસ્ટના રોજ દેશમાં ભારત છોડોની ક્રાંતિ થઈ (Har ghar tiranga champion) હતી. કૉંગ્રેસની આ ક્રાંતિના કારણે અંગ્રેજો દેશ છોડવા મજબૂર બન્યા હતા. જેને લઈ આજ ગુજરાત કોલેજથી ગાંધી આશ્રમ સુધી બાઇક રેલીનું (Bike Rally from Gujarat College to Gandhi Ashram)આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે લડેગે જીતેગે ડરો મત અને તે રીતે કૉંગ્રેસ દ્વારા અંગેજોની સામે અહિંસક આંદોલન ચાલુ કર્યું હતું.

અંગ્રેજોને મદદ કરનાર દેશ ચલાવે - જગદીશ ઠાકોર ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કૉંગ્રેસ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડ્યા હતા. તે સમયે અંગ્રેજોની મદદ કરનાર લોકો આજ દેશ અને રાજ્યમાં શાસન કરી રહ્યા છે. અંગ્રેજોના જે વિચારો હતા તે આજ શાસન કરી રહેલા લોકોના છે. કૉંગ્રેસ હરહમેંશ અહિંસક વાત કરે છે. ભાઈચાર તેમજ દેશમાં શાંતિ અને સલામતીની વાત કરે છે. પણ ભાજપ વિભાજનની વાત કરે છે.

આ પણ વાંચોઃ સરકારે OBC આયોગમાં 10 દિવસ ફાળવ્યા, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કરી વધુ સમયની માંગ

કાશ્મીરથી કન્યાકુમારી સુધી યાત્રા - કૉંગસ પક્ષ દ્વારા આજ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ભારત છોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આજ ગુજરાતના દરેક જિલ્લામાં આ પદયાત્રા યોજવાઈ છે.જેમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી ભાગ રૂપે 75 કિમિ પડયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.