ETV Bharat / state

Ahmedabad News : દિવ્યાંગોની જુબાને છે ધરમશી રબારીનું નામ, દિવ્યાંગોની દિવસરાત કરે છે મદદ

author img

By

Published : Aug 2, 2023, 9:20 PM IST

ગંભીર અકસ્માતમાં બન્ને પગ ગુમાવનાર અમદાવાદના ધરમશીભાઈ રબારી પંડે દિવ્યાંગ છે. પરંતુ તેમની હિંમત એવી બેમિશાલ છે કે 20 વર્ષોમાં એવું કામ કરી બતાવ્યું જે કામ સક્ષમ વ્યક્તિ પણ ન કરી શકે. આવો જાણીએ કોણ છે અમદાવાદનાં ધરમશીદાદા...

Ahmedabad News : દિવ્યાંગોની જુબાને છે ધરમશી રબારીનું નામ, દિવ્યાંગોની દિવસરાત મદદ
Ahmedabad News : દિવ્યાંગોની જુબાને છે ધરમશી રબારીનું નામ, દિવ્યાંગોની દિવસરાત મદદ

બેમિશાલ હિંમત

અમદાવાદ : મન હોય તો જ માળવે જવાય. આ શબ્દોને અમદાવાદનાં 64 વર્ષીય વૃદ્ધે સાર્થ કર્યા છે. જ્યારે કોઈ વ્યક્તિને સામાન્ય અકસ્માતમાં હાથ પગ કે શરીરના કોઈ પણ અંગને ગુમાવવું પડતુ હોય છે, ત્યારે તે માનસિક રીતે તુટી પડે છે અને અમુક કિસ્સામાં તો ડ્રિપ્રેશનમાં આવી આપઘાત પણ કરે છે. ત્યારે ધરમશીભાઈ રબારીની આ વાત સાવ અલગ તરી આવે છે.

2003માં એક અકસ્માતમાં બન્ને પગ ગુમાવ્યા : કોઈ પણ વ્યક્તિ જો પોતાના હાથ કે પગ ગુમાવી દે, તો સૌથી પહેલા પરિવારની જવાબદારી અને અન્ય બાબતો વિચારીને ડિપ્રેશનમાં જતો રહે છે, પરિવાર પર બોજો ન બનવા માંગતા દિવ્યાંગ વ્યક્તિ તો પોતાના જીવનનો પણ અંત લાવી દેતા હોય છે, જોકે મૂળ પાટણના દીઘડી ગામનાં રહેવાસી અને હાલ અમદાવાદનાં નિકોલમાં ફાયર સ્ટેશન ક્વાટર્સમાં રહેતા ધરમશીભાઈ રબારી જેઓએ 2003માં એક અકસ્માતમાં પોતાના બન્ને પગ ગુમાવ્યાં હતાં.

મારો અકસ્માત થયો અને મેં પગ ગુમાવ્યા. પરંતુ મારી જેમ અનેક દિવ્યાંગ લોકો જેઓ જીવન જીવવાની આશા ગુમાવી ચુક્યા હોય તેઓને નવજીવન આપવાની મને ઈચ્છા થઈ અને જોતજોતામાં 20 વર્ષ વીતી ગયા. આજે પણ સતત મને અમારા ગૃપમાં દિવ્યાંગ લોકો સંપર્ક કરે છે. મારા ધ્યાનમાં જે પણ લોકો આવી જરૂરિયાત ધરાવનાર આવે તેને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના હાથ, જયપુરી ફૂટ નખાવવા સહિતની તેમજ આવવા જવાનો કોઈ પણ ખર્ચો કે ઘરે જમાડવા માટે એક પણ રૂપિયા લીધા વિના તમામ સેવા કરું છું. આમાં મને પરિવારનો પણ પુરતો સહયોગ મળ્યો છે...ધરમશીભાઈ રબારી(દિવ્યાંગ સમાજસેવક)

મક્કમ મન રાખીને પોતે જયપુરી ફૂટ નખાવ્યા : તે સમયે પરિવારની જવાબદારીની ચીંતાઓ સતાવવા લાગી પણ તેઓએ મક્કમ મન રાખીને પોતે જયપુરી ફૂટ નખાવ્યા, જે સમયે તેઓને મનમાં એક વિચાર આવ્યો કે તેઓની જેમ અનેક લોકો જેઓએ કોઈ પણ કારણોસર પોતાના હાથ પગ ગુમાવ્યા છે અને જીંદગીથી હારી ગયા છે તેવા લોકોની મદદ કરવી. બસ આ જ વિચાર સાથે તેઓએ ધીમે ધીમે દિવ્યાંગ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું અને આજે આ મદદ મેળવનાર લોકોનો આંકડો 500 ને પાર પહોંચી ચુક્યો છે.

હજારો લોકોનું ગૃપ બનાવ્યુ : ધરમશીભાઈ પહેલા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતાં. પરંતુ એક અકસ્માતે તેઓના જીવનમાં મોટુ પરિવર્તન લાવી દીધુ. છેલ્લાં 20 વર્ષથી તેઓ અંધજન મંડળ સાથે સંકળાયેલા છે અને હજારો લોકોનું એક ગૃપ બનાવ્યુ છે. જે ગૃપમાં ન માત્ર ગુજરાતના પરંતુ ગુજરાત બહારથી પણ જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ સારવાર માટે આવે તો તેને પોતાની રીક્ષામાં બેસાડી તેની તમામ સારવાર અને નાત-જાત કે ધર્મ જોયા વિના માત્ર સેવાનો જ ધર્મ માનીને પોતાના ઘરમાં આશરો આપી, જમાડીને તમામ સારવાર પૂર્ણ થઈ જાય પછી પણ તેને ધરે મોકલી સમયાંતરે મુલાકાત લઈ ખબર અંતર પૂછે છે.

પરિવારનો સહયોગ : અમદાવાદ શહેર કે કોઈ પણ જિલ્લામાં કોઈ પણ નિરાધાર વ્યક્તિ કે ભિક્ષુક પણ જો દિવ્યાંગ તેઓને ધ્યાને આવે તો તેઓ તરત જ તેની મદદ કરવાના કામે લાગી જાય છે. ને તેમાં તેઓના પરિવારનો પણ પુરતો સહયોગ મળે છે. તેઓનો એક દીકરો ફાયર વિભાગમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે, અને પત્ની પણ તેઓના ઘરે આવતા તમામ દિવ્યાંગને અને તેની સાથે આવેલા પરિવારજનોને પોતાની હાથનું જમાડવાનું ચુકતા નથી.

સરકારી સહાય અપાવી : અમદાવાદના નેશનલ હાઈવે પર સીઝનેબલ વસ્તુઓ વેંચીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવનાર દિવ્યાંગ હિતેન્દ્રભાઈ પ્રજાપતિના લગ્નમાં ધરમશીભાઈ રબારી ગયા હતા, દિવ્યાંગોને લગ્નમાં 50-50 હજાર રૂપિયા સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવે છે, જે અંગે ધરમશીભાઈએ હિતેન્દ્ર પ્રજાપતિને જાણ કરી એક લાખ રૂપિયાની સરકારી સહાય અપાવી હતી.

ધરમશીભાઈએ મને દિવ્યાંગ સહાયતા અપાવવા માટે ખૂબ મહેનત કરી અને તેઓ દ્વારા કરાયેલી મદદથી મને પૈસા મળતા તેનાથી અમે ધંધો શરૂ કર્યો અને હવે હું આત્મનિર્ભર છું. ધરમશીભાઈ દિવ્યાંગોને નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી મદદ કરવામાં ચૂકતા નથી.હિતેન્દ્ર પ્રજાપતિ(દિવ્યાંગ)

કોરોનાકાળમાં મદદ :ધરમશીભાઈ રબારીએ કોરોના કાળ દરમિયાન પણ ખૂબ જ સેવાકીય કામગીરી કરી છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે દિવ્યાંગ કોરોના કાળ દરમિયાન આર્થિક તંગીમાં હતા તેવા તમામ દિવ્યાંગોને રાશન કીટ આપવાથી લઈને તેઓને તમામ સરકારી સહાય મળે તે માટે દિવસ રાત જોયા વિના ધરમશીભાઈ રબારી દોડતા હતા.

જરુરતમંદને રાશન કીટ અપાવી : અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને ઘાસચારો વેચીને પોતાનું ગુજરાન ચલાવતા કનુભાઈ વાઘેલાને પણ થોડા સમય પહેલા જ ધરમશીભાઈ સાથે મુલાકાત થઈ અને તેઓને પેડલ રીક્ષાની અપવવાની સાથે જ કોરોના કાળમાં જ્યારે તેઓ કામ ધંધા બંધ હોવાથી નિરાધાર બન્યા હતા ત્યારે રાશન કીટ અપાવી મદદ કરી હતી.

ઘાસચારો વેચતા સમયે મારી મુલાકાત ધરમશીભાઈ સાથે થઈ. હું દિવ્યાંગ હોવાથી મને તેઓએ ધણી મદદ કરી, કોરોનાકાળમાં અમે ભૂખ્યા ના રહ્યા તેનું મુખ્ય કારણે તેઓ જ છે. તેઓને સતત અમારી મુલાકાત લઈને અમે ભૂખ્યા ન રહીયે તે માટે રાશન કીટ લાવીને આપી હતી. તેઓ અમારા માટે ભગવાન છે. ..કનુભાઇ વાઘેલા(ધરમશીભાઇની મદદ મેળવનાર દિવ્યાંગ)

એવોર્ડ, પ્રમાણપત્રો અને મેડલ : ધરમશીભાઈ રબારીને અનેક એવોર્ડ અને પ્રમાણપત્રો પણ મળ્યા છે, સાથે એક મેડલ પણ તેઓએ મેળવ્યો છે. અનેક લાઈવ શોમાં તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. પરંતુ તેઓને મેડલ કરતા વધુ રસ દિવ્યાંગોની સેવામા આવે છે. હવે તેમનું ગૃપ એટલુ મોટુ થઈ ગયું છે કે અત્યાર સુધીમાં તેઓએ 20 હજારથી વધુ પોતાના વિઝીટીંગ કાર્ડ છપાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યા છે અને હવે ગુજરાત બહારના પણ અનેક રાજ્યમાંથી નિરાધાર અને ગરીબ લોકો તેઓની મદદ માટે સંપર્ક કરે છે અને તેઓએ ખરા અર્થમાં પોતાનો સેવાનો સંકલ્પ સિદ્ધ કર્યો છે.

  1. Kutch News: કચ્છની આશ્રયશાળામાં રમત-ગમતને કારણે નિરાધાર અને દિવ્યાંગ લોકોના સ્વાસ્થ્યમાં થયો સુધારો
  2. Surat Food blogger : અડગ મનના માનવીને નડતો નથી હિમાલય કહેવત સાબિત કરી બતાવતો દિવ્યાંગ ફૂડ બ્લોગર, અંકિત બરનવાળા
  3. Rajkot News: રાજકોટનો દિવ્યાંગ યુવાન નાક વડે કરે છે ટાઇપિંગ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મળ્યું સ્થાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.