ETV Bharat / international

International News : ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

author img

By

Published : Aug 13, 2023, 3:21 PM IST

કેનેડામાં હિંદુ મંદિરો પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા વધુ એક હુમલો થયો છે. ફરી એકવાર ખાલિસ્તાન તરફી લોકોએ વિવાદાસ્પદ પોસ્ટરો લગાવીને મંદિરમાં તોડફોડ કરી છે. વાંચો પૂરા સમાચાર...

Etv Bharat
Etv Bharat

ઓટાવાઃ કેનેડામાં ખાલિસ્તાન તરફી લોકોની હિંસા અટકતી જણાતી નથી. મળતી માહિતી મુજબ ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે રાત્રે ફરી એકવાર કેનેડામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ શનિવારે મોડી રાત્રે ખાલિસ્તાન સમર્થકો ખાલિસ્તાન લોકમતના પોસ્ટર સાથે હિન્દુ મંદિર પહોંચ્યા અને ત્યાં તોડફોડ કરી હતી. અખબારના અહેવાલ મુજબ, આ ઘટના કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતની છે.

હિંદુ મંદિરમાં તોડફોડ થઇ : ઓસ્ટ્રેલિયા ટુડેએ ટ્વિટર પર કહ્યું કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ કેનેડામાં અન્ય એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે. ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા માટે @surremandir ના દરવાજે નકલી ખાલિસ્તાન રેફરન્ડમ પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયા ટુડે દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં વાંચવામાં આવ્યું છે કે કેનેડા 18 જૂનની હત્યામાં ભારતની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયો છે.

ખાલિસ્તાન સમર્થકોનો આતંક અથાવત : ઓસ્ટ્રેલિયા ટુડે દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયોમાં બે માસ્ક પહેરેલા માણસો પોસ્ટર ચોંટાડતા અને ઘટનાસ્થળેથી ભાગતા પહેલા ફોટોગ્રાફ્સ લેતા બતાવે છે. મંદિરના દરવાજા પર લાગેલા પોસ્ટરમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા અને નિયુક્ત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની તસવીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં હત્યા થઈ હતી.

કેનેડામાં હુમલાઓ લગાતાર થઇ રહ્યા છે : કેનેડામાં હિન્દુ મંદિર પર આ પ્રકારનો આ પહેલો હુમલો નથી. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા આવી અનેક ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. આ વર્ષે પણ અનેક બનાવો નોંધાયા છે. આ વર્ષે એપ્રિલમાં કેનેડાના ઓન્ટારિયોના વિન્ડસરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી પોસ્ટરો સાથે તોડફોડ કરવામાં આવી હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં કેનેડાના મિસિસોગામાં રામ મંદિરમાં ભારત વિરોધી પોસ્ટરો સાથે તોડફોડ કરવામાં આવી હતી.

ગુનેગારોને પકડવા માટે તૈયારીઓ શરુ : ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંદિરને તોડી પાડવાની નિંદા કરી હતી. તેમણે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી. જાન્યુઆરીમાં, બ્રેમ્પટનના એક હિન્દુ મંદિરમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જેના કારણે ભારતીય સમુદાયમાં રોષ ફેલાયો હતો. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરમાં તોડફોડની નિંદા કરતા કહ્યું છે કે આ કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.

  1. Eiffel Tower Evacuated: એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ત્રણ માળ ખાલી કરાવવામાં આવ્યા
  2. Ul Haq Kakar: પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન બન્યા ઉલ હક કાકર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.