ETV Bharat / city

Bird Hunting In Surat: સુરતના ભીમપોરમાં રોજના 100 જેટલા પક્ષીઓનો કરવામાં આવી રહ્યો છે શિકાર

author img

By

Published : Feb 21, 2022, 8:37 PM IST

Bird Hunting In Surat: સુરતના ભીમપોરમાં રોજના 100 જેટલા પક્ષીઓનો કરવામાં આવી રહ્યો છે શિકાર
Bird Hunting In Surat: સુરતના ભીમપોરમાં રોજના 100 જેટલા પક્ષીઓનો કરવામાં આવી રહ્યો છે શિકાર

સુરતના ભીમપોર ખાડી પાસે પક્ષીઓનો શિકાર (Bird Hunting In Surat)કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં દિવસમાં 100થી વધુ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે.

સુરત: શહેરના છેવાડે આવેલા ડુમસના ભીમપોર ખાડી (bhimpore dumas gujarat)પાસે કેટલાક લોકો દ્વારા જાળ નાંખી પક્ષીઓનો શિકાર (Bird Hunting In Surat)કરવામાં આવી રહ્યો છે. ભાતભાતના પક્ષીઓનો શિકાર કરવામાં આવી રહ્યો હોવાની ઘટના સુરત ચેરીટેબલ ટ્રસ્ટ (Surat Charitable Trust) દ્વારા બહાર લાવવામાં આવી છે. કેટલાક લોકો દ્વારા પક્ષીઓને પકડવા માટે જાળ નાંખવામાં આવી રહી છે. આ બાબતે સુરત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંગલખાતા (Forest Department surat)ને પણ જાણકારી આપવામાં આવી છે.

પક્ષીઓના શિકારની સુરત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંગલખાતાને જાણકારી આપવામાં આવી.

જાળની અંદર ફસાયેલું હતું પક્ષી

સુરત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ (President of Surat Charitable Trust) શક્તિ પાઠકે જણાવ્યું કે, પક્ષી એક જાળની અંદર ફસાયું હતું. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા ભીમપોર ગામમાં પક્ષીઓના નિરીક્ષણ માટે ગયા હતા. અમે રજાના દિવસો અને અઠવાડિયાના અંતમાં આ રીતે પક્ષી નિરીક્ષણ માટે જતા હોઈએ છીએ. પક્ષીઓનું નિરીક્ષણ (Bird watching At Surat) કરતા અમારી નજર એક પક્ષી પર પડી જે ખાડી કિનારા ઉપર જમીન ઉપર બેઠું હતું. થોડું નજીક ગયા તો એ પક્ષી ઊડ્યું નહીં. ફોટોગ્રાફરો જેમ નજીક ગયા તેમ તે ઊડ્યું નહીં. ત્યારબાદ અમારી નજર ગઈ. એ પક્ષી એક જાળની અંદર ફસાયું હતું. અમે તેને જાળની અંદરથી મુક્ત કર્યું અને તેને ખુલા આકાશમાં છોડી દીધું.

આ પણ વાંચો: દેશનો સૌથી સ્વચ્છ ડુમસ બીચ હવે સૌથી સુંદર બની ગયો

દિવસમાં 100થી વધુ પક્ષીઓનો શિકાર

આ બાબતે આજુબાજુ તપાસ કરી ગામના લોકોને પૂછવામાં આવ્યું તો ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું કે, "ઘણા બધા લોકો પક્ષીઓનો શિકાર કરવા માટે આવે છે અને દિવસમાં 100થી વધુ પક્ષીઓનો શિકાર કરે છે." શક્તિ પાઠકે કહ્યું કે, આ બાબતની જાણ અમે સુરતના જંગલખાતાને કરી છે. એ લોકો પણ આમાં પ્રયત્ન કરી રહ્યા છે. કેવા શિકારી લોકો છે જેઓ આવા નાના પક્ષીઓને મારી નાંખે છે, જેના શરીરમાંથી થોડું જ મીટ નીકળે છે. ખાઈ જાય, વેચે છે.

આ પણ વાંચો: ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો

પક્ષીઓ સાથે ક્રૂરતા

વિદેશથી હજારો કિલોમીટર દૂરથી આપણા સુરતમાં આ પક્ષીઓ (Exotic birds surat)આવે છે અને આપણે એની સાથે આટલી ક્રૂરતા કરીએ છીએ. સુરતની જનતાને અપીલ છે કે, આવું કશું દેખાય તો તેને રોકો, આપણા બાળકને નોર્મલ ઘા પડે છે તો આપણે તેને તરત ડોક્ટર પાસે લઈ જઈએ છીએ. તો આ તો માસુમ વિદેશી પક્ષીઓ છે. કોઈને પોતાની ફરિયાદ કરી પણ શકતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.