ETV Bharat / city

Khodaldham Patotsav 2022 : આજે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવાશે

author img

By

Published : Jan 20, 2022, 9:20 PM IST

Updated : Jan 21, 2022, 6:57 AM IST

Khodaldham Patotsav 2022 : 21મીએ શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવાશે
Khodaldham Patotsav 2022 : 21મીએ શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે 21/01/2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવણી ઓનલાઈન કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી દેશવિદેશના લોકો પંચવર્ષીય પાટોત્સવ (Khodaldham Patotsav 2022) લાઈવ નિહાળશે.

રાજકોટ : જેતપુરના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે પાટોત્સવ ઉજવણી માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ (Khodaldham Patotsav 2022) ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશવિદેશના ભક્તજનો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી પંચવર્ષીય પાટોત્સવ લાઈવ (Live Khodaldham Patotsav 2022) નિહાળશે.

દેશવિદેશના લોકો પંચવર્ષીય પાટોત્સવ લાઈવ નિહાળશે
દેશવિદેશના લોકો પંચવર્ષીય પાટોત્સવ લાઈવ નિહાળશે

10,008થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મૂકવામાં આવશે

હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને નરેશભાઈ પટેલ (Khodaldham Trustee Naresh Patel ) અને ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું (Khodaldham Patotsav 2022) આયોજન કરાયું છે. ત્યારે લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે 21 જાન્યુઆરીના દિવસે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જ્યારે મહાસભાનું આયોજન હાલ મોકૂફ રાખવામાં આવ્યું છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.

ગુજરાત બહાર પણ આરતીનું આયોજન

સરકારની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 10008 થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ 21 જાન્યુઆરીના રોજ મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ Khodaldham Committee on Patotsav 2022: ખોડલધામ પાટોત્સવ વર્ચ્યૂઅલ યોજાવાની વાત માત્ર અફવા, ખોડલધામ સમિતિએ કરી સ્પષ્ટતા

7 ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ

પંચવર્ષીય પાટોત્સવનું (Khodaldham Patotsav 2022) લાઈવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ 7 ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમાં ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઈ પટેલનો (Khodaldham Trustee Naresh Patel ) સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.

આ પણ વાંચોઃ Khodal dham Patotsav 2022: ખોડલધામ ખાતે પાટોત્સવનું વર્ચ્યુઅલી આયોજન કરાશે

Last Updated :Jan 21, 2022, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.