ETV Bharat / city

વિજય રૂપાણીની દીકરીએ કરી ભાવુક પોસ્ટ, સોશિયલ મીડિયા પર થઈ વાઇરલ

author img

By

Published : Sep 14, 2021, 1:24 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે અને હવે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ નવા સીએમ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તો હવે વિજય રૂપાણીની દીકરીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે અનેક એવી વાતો કહી છે જે ભાવુક પણ છે અને નેતા માટે જરૂરી પણ.

વિજય રૂપાણીની દીકરીએ કરી ભાવુક પોસ્ટ
વિજય રૂપાણીની દીકરીએ કરી ભાવુક પોસ્ટ

  • વિજય રૂપાણીની દીકરીએ ભાવુક પોસ્ટ લખી
  • પોસ્ટમાં લખી જાણી-અજાણી વાતો
  • લોકો વચ્ચે અને લોકસેવા એ વિજય રૂપાણીનો મંત્ર
  • જણાવ્યા તેમના ઘરના જરૂરી નિયમો

રાજકોટ: કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમિત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલું કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે. આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગ્નને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી.

લોકો  વચ્ચે અને લોકસેવા એ જ વિજય રૂપાણીનો મંત્ર
લોકો વચ્ચે અને લોકસેવા એ જ વિજય રૂપાણીનો મંત્ર

મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યા હતા. નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીએટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇપણ 2 ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમનો રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે My father was the first person to visit even before Modiji visited the premises. મને સાથે લઇ ગયા હતા કે અમે reality અને લોકસંવાદને અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે 2-30 વાગ્યા સુધી જાગીને સીએમ ડેસ્કબૉર્ડ અને કૉલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે. વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ હતા.

વર્ષો સુધી ઘરમાં કેટલાંક સિમ્પલ પ્રોટોકોલ હતા
વર્ષો સુધી ઘરમાં કેટલાંક સિમ્પલ પ્રોટોકોલ હતા

1. કોઇનો પણ રાત્રે 3 વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી. 2. ઘરે કોઇપણ વ્યક્તિ કોઇપણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહી પાણસ અને ચા-નાસ્તો કરાવવાનો જ. 3. હમેંશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો. 4. પહેલા ભણવાનું અને પછી મોજમજા. અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં settled છીએ, અમે down to earth છીએ, all thanks to our parents. આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. Ambulance મંગાવશે. એમનો એ સ્વભાવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા clear thinking અને લોકોને મદદ કરવાનો સ્વભાવ.

કાલે મેં એક ન્યુઝ હેડલાઇન વાંચી - Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શુ રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ? Isn’t it a necessary quality we need in a leader? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલાં ભર્યા છે. સીએમ ડેસ્કબોર્ડથી માંડીને land garbing act, love Jihad, GUJCOCA, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુદ્રા સાથે ફરવું એ જ નેતાની નિશાની છે? અમારા householdમાં ઘણીવાર discussion થયું છે કે જ્યારે આટલું બધુ corruption, negativity Indian politicsમાં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ - will it survive? will it be enough? પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે Politics અને નેતાની ઇમેજ Indian movies and age old perceptionથી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું છે.

પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી. એ જ એમની ખાસિયત છે. જે કોઇ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઇનો કાર્યકાળ સમાપ્ત. અમારા મતે Nuisance કે Resistance કરતા RSS અને BJP ના સિધ્ધાંતો પ્રમાણે સરળતાથી સત્તાના લોભ વગર પદ છોડવું is more courageous than anything else!!

વધુ વાંચો: વિજય રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત કરતું હતું ભાજપ, 27 દિવસમાં જ બદલાઈ ગયો આખો પ્લાન

વધુ વાંચો: વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.