ETV Bharat / city

World lion Day 2022: સિંહોના સંરક્ષણ માટે નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા આજે પણ અકબંધ

author img

By

Published : Aug 10, 2022, 8:19 AM IST

Etv BharatWorld lion Day 2022: સિંહોના સંરક્ષણ માટે નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા આજે પણ અકબંધ
Etv BharatWorld lion Day 2022: સિંહોના સંરક્ષણ માટે નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા આજે પણ અકબંધ

વિશ્વભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી(World lion Day 2022 ) કરવામાં આવે છે. આજના દિવસે સિંહોની સંખ્યા પહેલા કરતા ગણી ઓછી નજરે આવે છે. ત્યારે એક સવાલ જરૂર થશે કે શા માટે સમગ્ર ભારતમાંથી એશિયાટિક લાયન(Asiatic Lion in India) ફક્ત જૂનાગઢના ગીર વિસ્તારમાં જ છે. આ સિંહોની સંખ્યા ઘટવા પાછળ શું છે કારણ અને કોણે સિંહના સંરક્ષણ માટે કાર્ય કર્યું છે જે નોંધનીય છે, જે જાણીયે આ અહેવાલમાં

જૂનાગઢ: દુનિયાભરમાં આજે વિશ્વ સિંહ દિવસ 2022 ઉજવવામાં(World lion Day 2022) આવી રહ્યો છે. દેશભરમાં સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે, ત્યારે શા માટે આજના દિવસે સમગ્ર ભારતમાંથી માત્ર ગુજરાતના ગીરના જંગલમાં(Gir forest of Gujarat) જ સિંહ ટક્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1911માં જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા દ્વારા સિંહોના સંરક્ષણની સંપૂર્ણ પણે શરૂઆત કરી શિકાર પર અંકુશ(Control over Preying lions) લાદવામાં આવ્યો હતો. આઝાદી બાદ વન વિભાગે આ બીડું ઝડપ્યું હતું. આજદિન સુધી સિંહોના સંરક્ષણના કાર્યને(Conservation work of lions) યોગ્ય રીતે નિભાવી રહ્યા છે.

જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા દ્વારા સિંહોના સંરક્ષણની સંપૂર્ણ પણે શરૂઆત કરી શિકાર પર અંકુશ લાદવામાં આવ્યો હતો

શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ - વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે. 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી. આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી, ત્યારે જૂનાગઢ નવાબ મહોબતખાન ત્રીજાના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું છે. ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુશ આવે તે માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ(Foot Patrolling in Forest) કરીને પણ સંભવિત શિકાર કે ગેર કાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. વર્ષ 2018માં આ જ પ્રકારના ગુનામાં સામેલ કેટલાક આરોપીને જેલની સજા પણ કરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું.

આ પણ વાંચો: સિંહોના સંરક્ષણ માટે જૂનાગઢના નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા, આજે પણ અકબંધ

શિકાર જેવી ગતિવિધિઓમાં સામેલ પ્રત્યેક વ્યક્તિને સજા - રાજા રજવાડાઓ અને વિદેશી શાસકો દ્વારા પોતાના શિકારના શોખને પૂર્ણ કરવા માટે સિંહોના આડેધડ શિકાર કરવામાં આવતા હતા, પરંતુ વર્ષ 1911માં જૂનાગઢ નવાબે શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદીને આવી ગતિવિધિઓમાં સામેલ પ્રત્યેક વ્યક્તિને મરણતોલ સજા આપવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત ફરી એક વખત ગીરના સિંહો પર કર્ણાટકની શિકારી ટોળકીની(Predator gangs of Karnataka) નજર બગડી અને વર્ષ 2007 અને 2008ના સમયમાં આ ટોળકીના શખ્સોએ 4 જેટલા સિંહોના શિકાર કરી નાખ્યાની ઘટના સમગ્ર ગીર વિસ્તારને ઝંઝોડી નાખે તેવી સામે આવી હતી. સિંહનો શિકાર કરીને ફરાર થવામાં નિષ્ફળ રહેલા શિકારી આજે પણ જેલમાં છે.

શા માટે સિંહોનો શિકાર થતો હતો - સિંહનો શિકાર મુખ્યત્વે તેના નખ માટે થતો હોય છે, ત્યારે આવી લાલચમાં સપડાઈ કર્ણાટકની શિકારી ગેંગના શખ્સોએ સિંહનો શિકાર તો કરી નાખ્યો, પરંતુ વન વિભાગના(Junagadh Forest Department) સકંજામાંથી બચવામાં નિષ્ફળ રહ્યા હતા. કારાવાસ સુધીની સજા આપવામાં આવી હતી. વર્ષ 1911 પહેલા ગીરના જંગલમાં શિકાર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ જોવા મળતો ન હતો. જેથી રાજા રજવાડાઓ અને વિદેશી શાસકો દ્વારા સિંહોના બેફામ શિકાર કરવામાં આવતો હતો. ગીરમાં સિંહો લુપ્તપ્રાય(Extinct lions in Gir ) થવાને આરે પહોંચી ગયા હતા.

ગેરકાયદે લાયન શો દ્વારા સિંહોને કરાય છે પરેશાન - વર્ષ 2018માં આ જ પ્રકારે બાબરીયા રેન્જમાં સિંહોને ગેરકાયદેસર હેરાન પરેશાન કરવાના કિસ્સામાં ત્રણ જેટલા શખ્સોને જેલની સજા ફરમાવવામાં આવી હતી. સિંહના શિકાર પૂર્વે જ શખ્સોને વન વિભાગે ઝડપ્યા હતા. આ સાથે ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો કેટલાક વિસ્તારમાં જોવા મળતો હતો. વર્ષ 2018માં ગીર ગઢડા નજીક કેટલાક શખ્સો પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સિંહોને મરઘીનો શિકાર આપવાની લાલચ બતાવીને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવી રહ્યા હતા. આ પૈકીના મોટાભાગના શખ્સો આજે જેલમાં છે.

આ પણ વાંચો: સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ

સોમનાથ નજીકથી સિંહ માટે ફરતા શિકારીઓ પકડાયા - સોમનાથ જિલ્લામાં પ્રાચી નજીક સિંહનો શિકાર કરવાની ફિરાકમાં ફરી રહેલા 30 જેટલા પરપ્રાંતિયોને સિંહ અને વન્ય પ્રાણીઓના શિકાર કરવાના હથિયારો સાથે પકડી પાડીને વન વિભાગે સિંહોના શિકારની સંભવિત ઘટનાને અંજામ આપતા પૂર્વે જ રોકી દેવામાં સફળતા મળી હતી. જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે.

સિંહોની સુરક્ષા માટે આધુનિક હથિયાર - વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા( Conservation of Lions ) માટે હથિયાર સહિત આધુનિક વાયરલેસ ટેકનોલોજી સજ્જ વાહનો, સિંહોને રેડિયો કોલર CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના તમામ રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી.

જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારની સંખ્યા ઘટી - આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે. જેને કારણે સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. જેથી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં ખુબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.