ETV Bharat / city

Political Agenda in Bhagavat Katha : જામનગરમાં ભાગવત કથા પાછળ પાટીલ અને નરેશ પટેલની રાજકીય બેઠક, શું ચર્ચા થઈ હશે?

author img

By

Published : May 4, 2022, 6:14 PM IST

જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ધારાસભ્ય હકુભા જાડેજા (MLA Hakubha Jadeja)દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ભાગવત કથામાં રાજકીય કથા (Political agenda in Bhagavat Katha) પણ થઇ હોવાની વિગતો બહાર આવી છે.અહીં એક જ મંચ પર સી આર પાટીલ અને નરેશ પટેલ (CR Patil and Naresh Patel on the same stage in Jamnagar) જોવા મળ્યાં હતાં.

Political agenda in Bhagavat Katha : જામનગરમાં ભાગવત કથા પાછળ પાટીલ અને નરેશ પટેલની રાજકીય બેઠક, શું ચર્ચા થઈ હશે?
Political agenda in Bhagavat Katha : જામનગરમાં ભાગવત કથા પાછળ પાટીલ અને નરેશ પટેલની રાજકીય બેઠક, શું ચર્ચા થઈ હશે?

જામનગર - આજે ભાગવત કથામાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા આવ્યાં હતાં. બપોર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી. આર પાટીલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એકસાથે ભાગવત કથામાં (CR Patil and Naresh Patel on the same stage in Jamnagar)આવ્યા હતાં. તેને લઈ અનેક અટકળો (Political agenda in Bhagavat Katha)વહેતી થઈ છે. કારણ કે નરેશ પટેલ છેલ્લા ઘણા સમયથી રાજનીતિમાં પ્રવેશ માટેનો નિર્ણય લઈ શકતા નથી. જોકે હવે નરેશ પટેલ ટૂંક સમયમાં વિધિવત રીતે રાજકીય પ્રવેશ કરે (Naresh Patel to Join Politics)તેવી શક્યતા જોવા મળી રહી છે પણ કયા પક્ષમાં જોડાશે તે હજુ સસ્પેન્સ છે.

ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત કથા રાજકીય મંચ પણ બની?

ગુજરાતમાં આ બંને મુદ્દા છે હોટ ટોપિક - ગુજરાતના રાજકારણમાં હાલ બે ચર્ચાઓ ચાલી રહી છે. એક ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)વહેલી થશે કે નહીં અને બીજી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે. નરેશ પટેલ (Naresh Patel to Join Politics)પર હાલ ભાજપ, કૉંગ્રેસ અને આપની નજર છે. ત્રણેય પક્ષો નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. એવામાં છેલ્લા એક અઠવાડિયામાં નરેશ પટેલ ત્રીજી વાર ભાજપના નેતાઓ સાથે દેખાતા રાજકીય ગતિવિધિ (Political agenda in Bhagavat Katha)તેજ બની છે.

આ પણ વાંચોઃ તારીખ પે તારીખનો ખેલ : નરેશ પટેલે પ્રશાંત કિશોર અંગે કહ્યું - "રાજકારણમાં મારી સાથે"

જામનગરમાં એક જ મંચ પર પાટીલ અને પટેલ -આજે જામનગરમાં આયોજિત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ એક જ મંચ પર જોવા (CR Patil and Naresh Patel on the same stage in Jamnagar)મળ્યા હતાં. બંને નેતાઓનું એક સાથે જ સ્વાગત કરાયું હતું. જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજાના યજમાનપદે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ચાર દિવસમાં નરેશ પટેલની બીજીવાર હાજરીને ઘણી સૂચક (Political agenda in Bhagavat Katha)માનવામાં આવી રહી છે. ભાગવત સપ્તાહમાં આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી હતી. તેમની સાથે નરેશ પટેલ, જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, જામનગર દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુ અને જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજા હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો- Politics in Rajkot Khodaldham : નરેશ પટેલને લઇ ઉભર્યો જૂથવાદ, ટીલાળાના નિવેદન મુદ્દે હવે સામે આવી જુદી જ વાત

4 દિવસમાં જામનગરમાં નરેશ પટેલ બીજીવાર હાજર રહ્યાં -જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહના પ્રારંભે યોજાયેલી પોથીયાત્રામાં નરેશ પટેલે હાજરી આપી હતી. પોથીયાત્રા સમયે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા અને વરુણ પટેલ સાથે એક જ રથમાં સવાર (Naresh Patel to Join Politics)જોવા મળ્યા હતાં. ત્યારબાદ આજે પ્રદેશ ભાજપ પ્રમુખની સાથે પણ નરેશ પટેલે જામનગરમાં ચાલી રહેલી સપ્તાહમાં હાજરી આપી હતી. પાટીલ અને પટેલ એક જ મંચ પર હાજર (CR Patil and Naresh Patel on the same stage in Jamnagar)જોવા મળ્યાના દ્રશ્યો બાદ ચર્ચા શરૂ (Political agenda in Bhagavat Katha)થઈ છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે?

આ તસવીર ઘણી સૂચક છે
આ તસવીર ઘણી સૂચક છે

કયા પક્ષમાં જોડાવું તેનો નિર્ણય બાકીઃ નરેશ પટેલ - નરેશ પટેલે કયા પક્ષમાં જો઼ડાશે (Naresh Patel to Join Politics)તેનું સસ્પેન્સ આજે પણ યથાવત રાખ્યું હતું. આજે જ્યારે તેમને ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે સવાલ કરાતા તેમણે કહ્યું હતું કે, કયા પક્ષમાં જોડાવું તે અંગે હજી તેમના દ્વારા નિર્ણય નથી કરાયો. એટલે કે નરેશ પટેલે કૉંગ્રેસ અને આપની સાથે ભાજપમાં જોડાવાના (Gujarat Assembly Election 2022) પણ તેમના દરવાજા ખુલ્લા રાખ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.