ETV Bharat / city

PM Modi Jamnagar Visit : PM નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટર ડો.ટેડ્રોસ જામનગર કેમ આવી રહ્યાં છે? જાણો

author img

By

Published : Mar 29, 2022, 6:42 PM IST

Updated : Mar 30, 2022, 11:51 AM IST

વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી જામનગરની (PM Modi Jamnagar Visit ) મુલાકાતે આવશે. ઉપરાંત WHOના ડાયરેક્ટર ડો.ટેડ્રોસ પણ જામનગર (WHO Director visits Jamnagar) આવશે. મહત્વની વાત છે કે, આ બંને મહાનુભાવ ગુજરાતને કઈ ભેટ આપવાના છે?

PM નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટર જામનગર ડો.ટેડ્રોસ કેમ આવી રહ્યાં છે? જાણો
PM નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટર જામનગર ડો.ટેડ્રોસ કેમ આવી રહ્યાં છે? જાણો

જામનગર : જામનગરમાં આગામી દિવસોમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની (Establishment of WHO GCTM in Jamnagar) સ્થાપના થવા જઈ રહી છે. એપ્રિલના એન્ડમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર (PM Modi Jamnagar Visit ) આવશે.

પરંપરાગત દવાઓ માટે એકમાત્ર ગ્લોબલ સેન્ટર - આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરાશે. જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે. જામનગરમાં સ્થાપનાર આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.

PM નરેન્દ્ર મોદી અને WHOના ડાયરેક્ટર જામનગર પધારશે

આ પણ વાંચો : INS વાલસુરાનો એક વિશાળ ઈતિહાસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ગુજરાતને આરોગ્યક્ષેત્રે મોટી ભેટ - WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે. તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. વડાપ્રધાને આ અગાઉ 13 મી નવેમ્બર 2020 એ જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને (ITRA) ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે એક ભેટ આપી હતી.

આ પણ વાંચો : PM Modi Visit Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તેવી શક્યતા, ક્યારે અને શા માટે આવશે તે જાણો

જામનગરની ઓળખ - જામનગરનું નામ અત્યાર સુધી ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતું હતું. હવે જામનગરને નવી ઓળખાણ મળશે. જામનગરમાં 5000 જેટલા બ્રાસ પાર્ટ ના કારખાનાઓ પણ આવેલા છે. જામનગરને બ્રાસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિકેટ અને બ્રાસ સિટી બાદ હવે જામનગર આયુર્વેદિક દવાઓનું હબ બનશે 138 જેટલા વિશ્વના દેશો સાથેના જામનગરનું MOU (WHO Director visits Jamnagar) થયા છે. હવે આ WHO GCTMની વધુ એક નવતર ભેટ દ્વારા વડાપ્રધાને જન આરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરની નવી દિશા ખોલી આપી છે.

Last Updated :Mar 30, 2022, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.