ETV Bharat / city

Corona Case In Jamnagar: જામનગરમાં કોરોના કહેર,આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

author img

By

Published : Jan 8, 2022, 8:02 PM IST

જામનગરમાં કોરોનાના કેસોમાં સતત વધારો (Corona Case In Jamnagar) થઈ રહ્યો છે, ત્યારે કમિશનર વિજય ખરાડીની સૂચનાથી આરોગ્ય ટીમ દ્વારા 2 દિવસથી શહેરના ભીડભાડવાળા સ્થળોએ કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Corona Case In Jamnagar: જામનગરમાં કોરોના કહેર,આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં
Corona Case In Jamnagar: જામનગરમાં કોરોના કહેર,આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

જામનગર: જામનગર મનપા આરોગ્ય ટીમ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી પૂરજોશ કરવામાં આવી રહી છે. જો કે જામનગર શહેરમાં સતત બીજા દિવસે આરોગ્યની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ (Corona test by health team)કરવામાં આવી રહ્યા છે. ગઇ કાલે જિલ્લામાં 50 કોરોના કેસ (Corona Case In Jamnagar)નોંધાયા હતા.

Corona Case In Jamnagar: જામનગરમાં કોરોના કહેર,આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

ભીડભાડ વાળી જગ્યા પર કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ

દરરોજ વધતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને કારણે રાજ્ય સરકાર એકશન મોડમાં આવી ગઇ છે અને રાત્રિ કફર્યૂૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે અને ધો.1થી 9 ના શૈક્ષણિક વર્ગો ઓફલાઈન બંધ કરી દેવામાં આવ્યા છે.

દીપક ટોકીઝ, શાક માર્કેટ વિસ્તારમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા

કોવિડની નવી ગાઈડલાઈન મુજબ આજથી રાત્રિકફર્યૂના સમયમાં વધારો થઈ જશે. કોવિડ સંક્રમણ વકરતા જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Municipal Corporation) કમિશનર વિજય ખરાડીની સૂચનાથી આરોગ્ય ટીમ દ્વારા 2 દિવસથી શહેરના ભીડભાડવાળા સ્થળોએ કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શહેરમાં આજે 200 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે

શુક્રવારે સાંજે શહેરમાં કોરોનાના 40 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 50 પોઝિટિવ કેસ આવ્યા હતાં, જેથી બીજા દિવસે આરોગ્ય ટીમ દ્વારા દિપક ટોકીઝ પાસે આવેલી શાકમાર્કેટ વિસ્તારમાં 200થી વધુ લોકોનું કોવિડ પરીક્ષણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:

Corona Case In Jamnagar: જામનગરમાં JMCની આરોગ્ય ટીમે શાક માર્કેટ અને ગુજરી બજારમાં કર્યા કોરોના ટેસ્ટ

Corona Cases In Jamnagar: છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને થયો કોરોના, શાળાના 100થી વધુ બાળકોનું કરાયું ટેસ્ટિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.