ETV Bharat / city

રાજભવનમાં શરૂં થઇ શપથવિધિ પહેલાની તૈયારીઓ, નવા પ્રધાન મંડળ માટે મંત્રીઓને ફોન આવવાનું શરૂ થયુ

author img

By

Published : Sep 16, 2021, 11:12 AM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 6 દિવસ પહેલા મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. જે બાદ ગુજરાતનું રાજકારણ મંત્રીમંડળની પસંદગીને લઈને વધુ ગરમાયું છે. કેમકે આશ્ચર્યજનક રીતે ભૂપેન્દ્ર પટેલને નિયુક્ત કરાયા એ જ રીતે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ વાત રૂપાણી સરકારમાં સામેલ પ્રધાનોને ખટકે છે તે હેતુથી તેમને ગઈકાલે વિરોધ કરતા 15 સપ્ટેમ્બરથી થવા જઈ રહેલી શપથ વિધી પોસ્ટપોન રહી છે. આજે 1:30 વાગે રાજભવન ખાતે શપથ વિધિ કાર્યક્રમ શરૂ થશે.

રાજભવનમાં શરુ થઇ શપથવિધિ પહેલાની તૈયારીઓ, નવા પ્રધાન મંડળ માટે મંત્રીઓને ફોન આવવાનું શરૂ થયુ
રાજભવનમાં શરુ થઇ શપથવિધિ પહેલાની તૈયારીઓ, નવા પ્રધાન મંડળ માટે મંત્રીઓને ફોન આવવાનું શરૂ થયુ

  • રાજભવનની બહાર વહેલી સવારથી જ તૈયારી શરૂ
  • 1:30 વાગે રાજભવન ખાતે શપથ વિધિ કાર્યક્રમ શરૂ થશે
  • ગઈ કાલે જૂના પ્રધાનો નારાજ થતા શપથ વિધિ થઈ શકી નહોતી


ગાંધીનગર : રાજભવનની બહાર આવતી કાલે 04 વાગ્યા બાદ શપથવિધિ સમારોહ થવાની ગણતરી હતી. જે માટે 15 તારીખના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા હતા પરંતુ પાટિલના ઘરે એક પછી એક પ્રધાનમંડળમાં સામેલ પ્રધાનો બંધબારણે મિટિંગ માટે આવી રહ્યા હતા. જેમને જોતા સ્પષ્ટ નારાજગી પાર્ટીના નિર્ણયને લઈને નજરે પડી હતી. આ વાત હાઇકમાન્ડ સુધી પહોંચતા હાઇકમાન્ડે નારાજ મંત્રીઓને મનાવવા માટે રૂપાણીને જ આદેશ કર્યો હતો. જેથી આજે વહેલી સવારથી જ આ બાબતે મિટિંગોનો દોર શરૂ થઇ ગયો છે.

આ પણ વાંચો : કચ્છના મુન્દ્રા પોર્ટમાં ટેલ્કમ પાવડરની આડમાં લવાતું અધધ 2,500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે મિટિંગનો દોર વહેલી સવારથી શરૂ

ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે મિટિંગનો દોર વહેલી સવારથી એન.એક્સ.સી ખાતે શરૂ થઈ ગયો છે. જેમાં મંત્રીમંડળની બાબતમાં 12 વાગ્યા પહેલા જ જલ્દી નિર્ણય લેવાઈ શકે છે. જો કે, રાજભવની બહાર શપથવિધિના બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ શપથવિધિની તારીખ લખવામાં નથી આવી. જેથી હજુ પણ શંકા સેવાઇ રહી છે કે કેન્દ્રીય મંત્રીમંડળની શપથવિધિ આજે પણ ક્યાંક ટળી તો નહી જાય.

રાજભવનમાં શરુ થઇ શપથવિધિ પહેલાની તૈયારીઓ, નવા પ્રધાન મંડળ માટે મંત્રીઓને ફોન આવવાનું શરૂ થયુ

આ પણ વાંચો : સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે ડાન્સ અને ગરબા

નવા મંત્રીઓને ફોન આવવાનું શરૂ થયું, જૂના મંત્રીઓ હજુ પણ નારાજ

જુના મંત્રીઓ વિજય રૂપાણી સરકારમાં સામેલ હતા તેમનું કહેવું છે કે, તેમની બાદબાકી પાર્ટીમાં આટલા વર્ષો રહ્યા છતાં મંત્રીમંડળમાથી શા માટે કરવામાં આવી રહી છે. જેને જોતા નારાજગી સામે આવી રહી છે. જેથી સૂત્રોનું કહેવું એ પણ હતું કે, મોટાભાગના નમો માટે રીપિટ થીયરી લાગુ કરવામાં આવશે. પરંતુ સૂત્રોના કહેવા મુજબ નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. દરેક જ્ઞાતિના લોકોને મંત્રીમંડળમાં સામેલ કરાશે. જે સંભવિત નામો સામે આવી રહ્યા છે જેમાં મોટાભાગના ધારાસભ્યોને ફોન પણ મંત્રીમંડળમાં સામેલ થવા માટે આવી ગયા છે. 18 ધારાસભ્યોને ફોન આવ્યા છે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.