ETV Bharat / city

ગુજરાત ટેસ્ટીગ ટ્રેકિંગ ફાસ્ટ, તમામ મુસાફરોના ટેસ્ટ થશે: મનોજ અગ્રવાલ

author img

By

Published : Dec 2, 2021, 9:44 PM IST

ગુજરાતના આરોગ્ય વિભાગના અધિક સચિવ મનોજ અગ્રવાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવો વેરિયન્ટ (Omicron variant threat in gujarat)ન આવે તેને ધ્યાનમાં લઇને અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત ટેસ્ટીગ ટ્રેકિંગ ફાસ્ટ, તમામ મુસાફરોના ટેસ્ટ થશે: મનોજ અગ્રવાલ
ગુજરાત ટેસ્ટીગ ટ્રેકિંગ ફાસ્ટ, તમામ મુસાફરોના ટેસ્ટ થશે: મનોજ અગ્રવાલ

  • રાજ્યમાં ઓમિક્રોન બાબતે એલર્ટ
  • તમામ મુસાફરોના થઇ રહ્યા છે RTPCR ટેસ્ટ
  • સાઉથ આફ્રિકાથી જામનગરના નાગરિકને કોવિડ પોઝિટિવ

ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે, ત્યારે જે બીક હતી તે બીક સાચી પડી છે. કર્ણાટકના બેંગલોર ખાતે ભારતીય પ્રવાસી નવા વેરિયન્ટ સાથે સંક્રમિત (Omicron in karnataka) બન્યા છે. તે બાબતે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના આરોગ્ય વિભાગના અધિક સચિવ મનોજ અગ્રવાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવો વેરિયન્ટ ન આવે તેને ધ્યાનમાં લઇને અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ (Gujarat Testing Tracking Fast for omicron) કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત ટેસ્ટીગ ટ્રેકિંગ ફાસ્ટ, તમામ મુસાફરોના ટેસ્ટ થશે: મનોજ અગ્રવાલ

વાઈબ્રન્ટ મહોત્સવને લઈને સરકારનું ડેલીગેટ્સ ફોરેન

ગુજરાત સરકાર નવા વેરિયન્ટ ભય વચ્ચે વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરી રહ્યું છે. અનેક અધિકારીઓ વાઇબ્રન્ટ મહોત્સવના ભાગરૂપે વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે. તેઓ ગુજરાતમાં પરત આવશે ત્યારે તેઓએ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ (central govt guidelines for omicron in india) અનુસરવી પડશે કે નહીં તે બાબતે મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે વધુ વિચારણા કરવામાં આવશે. રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ હોય તેઓએ કોરોનાની નવી ગાઇડલાઇન્સ ફરજીયાત પાલન કરવું પડશે અને સાત દિવસ કવોરેન્ટાઈનમાં પણ રહેવું પડશે.

રાજ્યમાં થઈ રહ્યા છે 75,000 ટેસ્ટીંગ

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે ૭૫ હજારથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ જો કોઈ પણ પ્રવાસી કે જે યુરોપ અથવા તો સાઉથ આફ્રિકામાંથી આવી ગયા છે. તે પોઝિટિવ નીકળશે તો તેની આગળ પાછળ તમામ મુસાફરોના કોરોના રિપોર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ લોકોને આઈસોલેશન ફરજિયાત રાખવામાં આવશે. અત્યારે સુરત અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફરજિયાત રીતે તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે મુસાફરો વાયા દિલ્હી અને મુંબઈથી ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. તે લોકોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જામનગરમાં એક શંકાસ્પદ કેસ

આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે જામનગરના એક વ્યક્તિ કે જેઓ સાઉથ આફ્રિકાથી પરત આવ્યા હતા તેઓને કોરોના પોઝિટિવ આવ્યો છે, પરંતુ હજી આ નવો વેરિયન્ટ છે કે નહીં, તે બાબતે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી. પરંતુ ઉપરોક્ત માહિતી પ્રમાણે જામનગરમાં જે વ્યક્તિ કોઈ પોઝિટિવ થઇ છે, તેને ટેસ્ટના જીનોમ સીક્વન્સ માટે પુણે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે. આમ પૂણેથી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે જામનગરની એ વ્યક્તિ નવા વેરિયન્ટથી સંક્રમિત છે કે નહીં.

આ પણ વાંચો: Gujarat Corona Update: ઓમિક્રોનના ભય વચ્ચે એક જ દિવસમાં કુલ 50 કેસો નોંધાતા ફફડાટ

આ પણ વાંચો: First 2 Case of Omicron in India: કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ મળ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.