ETV Bharat / city

CONSTITUTION DAY 2021: પાટનગરમાં હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા

author img

By

Published : Nov 26, 2021, 9:24 PM IST

CONSTITUTION DAY 2021: પાટનગરમાં હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા
CONSTITUTION DAY 2021: પાટનગરમાં હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા

પ્રથમ વખત તત્કાલીન સીએમ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગર (Pm modi at surendranagar)ખાતે વર્ષ 2010માં પ્રથમ વખત સંવિધાન યાત્રા (Samvidhan yatra 2010)નું આયોજન કર્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કિલોમીટર સુધીની યાત્રા કરી હતી અને ત્યારથી જ આ યાત્રા કાર્ય કરવામાં આવી છે.

  • ભાજપ પક્ષ દ્વારા સંવિધાન દિનની ઉજવણી
  • તમામ જિલ્લામાં યોજવામાં આવશે સંવિધાન યાત્રા
  • વર્ષ 2010માં પ્રથમ વખત પીએમ મોદીએ યોજી હતી યાત્રા

ગાંધીનગર: ગુજરાત ભાજપ દ્વારા સંવિધાન દિવસે (CONSTITUTION DAY 2021) તમામ જિલ્લાઓમાં સંવિધાન યાત્રા (Samvidhan Yatra 2021)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે એટલે કે 26 નવેમ્બરના રોજ જ ગાંધીનગર ભાજપ (Gandhinagar BJP) દ્વારા સંવિધાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાની સામે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ સંવિધાન યાત્રા (Samvidhan Yatra on elephant)ની શરૂઆત કરાવી હતી અને ત્યારબાદ ટીચર ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ ખાતે પગપાળા યાત્રા યોજી હતી.

CONSTITUTION DAY 2021: પાટનગરમાં હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા

જિલ્લા અને શહેર ભાજપના અગ્રણીઓ હાજર

સંવિધાન યાત્રાની વાત કરવામાં આવે તો, ગાંધીનગર જિલ્લાના તમામ ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા, આ ઉપરાંત ગાંધીનગર કોર્પોરેશનના મેયર ઉપમેયર તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા, આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા રાજ્યના શિક્ષણ કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

પ્રથમ વખત તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી યાત્રા

સંવિધાન દિવસે રથયાત્રા બાબતે કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરસોત્તમ રૂપાલાએ 'જૂની યાદ તેરી યાદ' કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત તત્કાલીન સીએમ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગર (Pm modi at surendranagar) ખાતે વર્ષ 2010માં પ્રથમ વખત સંવિધાન યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કિલોમીટર સુધીની યાત્રા કરી હતી અને ત્યારથી જ આ યાત્રા કાર્ય કરવામાં આવી છે. આમ આ યાત્રામાં ભૂતકાળમાં પણ જોડાયા હતા તેવા સ્મરણો પણ યાદ કર્યા હતા.

આ પણ વાંચો: Constitution Day2021: PM મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો: CONSTITUTION DAY 2021: ચારિત્ર્ય ગુમાવનાર પક્ષો લોકશાહીનું રક્ષણ કેવી રીતે કરશેઃ વડાપ્રધાન મોદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.