ETV Bharat / city

ચૂંટણી પહેલા કૉંગ્રેસ NCPનું ગઠબંધન, હવે NCPની 3 બેઠક પાક્કી, ETV Bharatના અહેવાલ પર લાગી મહોર

author img

By

Published : Oct 18, 2022, 9:11 AM IST

રાજ્યમાં ચૂંટણી (Gujarat Election) પહેલા કૉંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન (congress ncp alliance) થયું છે. આ પહેલા ETV Bharatએ આ અંગે 22 સપ્ટેમ્બરે અહેવાલ રજૂ કર્યો હતો. તેની પર હવે મહોર લાગી ગઈ છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (raghu sharma congress ) અને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી (Jayant Patel Boskey NCP) વચ્ચે બેઠક મળી હતી. ત્યારથી જ ચર્ચાએ જોર પકડ્યું હતું.

ચૂંટણી પહેલા કૉંગ્રેસ NCPનું ગઠબંધન, હવે NCPની 3 બેઠક પાક્કી, ETV Bharatના અહેવાલ પર લાગી મહોર
ચૂંટણી પહેલા કૉંગ્રેસ NCPનું ગઠબંધન, હવે NCPની 3 બેઠક પાક્કી, ETV Bharatના અહેવાલ પર લાગી મહોર

ગાંધીનગર ગુજરાતની ચૂંટણીમાં (Gujarat Election) જીતવા માટે કૉંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન (congress ncp alliance) કરી લીધું છે. બંને પાર્ટીનું ગઠબંધન થતાં જ ETV Bharatએ 22 સપ્ટેમ્બરે પ્રકાશિત કરેલા અહેવાલ પર મહોર લાગી ગઈ છે. આ અંગેની ચર્ચાએ જોર તો ત્યારે પકડ્યું જ્યારે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (raghu sharma congress) અને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી (Jayant Patel Boskey NCP) વચ્ચે બેઠક મળી હતી, જેમાં NCPએ સાત જેટલી બેઠકોની માગ કરી છે, જેમાં અત્યારે પ્રાથમિક તબક્કે ત્રણ જેટલી બેઠકો કૉંગ્રેસે એનસીપી માટે અનામત રાખી છે.

કૉંગ્રેસ અને NCP બન્ને ઉમેદવાર સાથે જાહેર થશે કૉંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં જ ઉમેદવારોની પ્રથમ યાદી (Congress Candidates List) જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં NCPની ત્રણ બેઠક પર કૉંગ્રેસ સાથે ગઠબંધન (congress ncp alliance) નક્કી થઈ ગયું છે, જેમાં અમદાવાદ શહેરની નરોડા બેઠક, મધ્ય ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠક તેમ જ સૌરાષ્ટ્રની કુતિયાણા બેઠક એમ મળી કુલ 3 બેઠક પર NCP પોતાના ઉમેદવાર ઊભા રહેશે તેવી જાણકારી ગુજરાત NCPના આગેવાનો પાસેથી મળી રહી છે.

(1) કાંધલ જાડેજા (2) જયંત બોસ્કી (3) રેશ્મા પટેલ (4) નિકુલસિંહ તોમર
(1) કાંધલ જાડેજા (2) જયંત બોસ્કી (3) રેશ્મા પટેલ (4) નિકુલસિંહ તોમર

ત્રણ બેઠકો પર એનસીપીના ઉમેદવાર નક્કી NCP જે ચાર બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખવાની છે. તે બેઠકોમાં અમદાવાદ શહેરની નરોડા બેઠક, મધ્ય ગુજરાતમાં આણંદની ઉમરેઠ બેઠક, સૌરાષ્ટ્રમાં પોરબંદરની કુતિયાણા બેઠક પર પોતાના ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યા છે. આ તમામ બેઠક પરના ઉમેદવારોના નામની જાહેરાત કૉંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી (Congress Candidates List) જાહેર કરશે.

આ બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડશે નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમર, ઉમરેઠ બેઠક પરથી જયંત પટેલ (બોસ્કી) અને કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા.

અમારા ત્રણ ઉમેદવાર ચૂંટણી લડશે, વધુ ઉમેદવાર માટે ચર્ચા ચાલુઃ બોસ્કી ગુજરાત એનસીપીના નેતા જયંત બોસ્કીએ (Jayant Patel Boskey NCP) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના તબક્કે અમારા ત્રણ ઉમેદવાર ચાર બેઠક (NCP Candidates List) પરથી ચૂંટણી (Gujarat Election) લડશે. આ સિવાય પણ અન્ય બેઠક જેવી કે દેવગઢ બારિયા અને ગોંડલ બેઠક માટે પણ ચર્ચા ચાલુ જ છે. એટલે ઉમેદવારોની સંખ્યામાં કદાચ વધારો થઈ શકે એમ છે. આ ઉપરાંત ગત મહિને જ્યારે પ્રથમ બેઠક કરવામાં આવી હતી. ત્યારે 11 બેઠકો માટેની વાતચીત કરવામાં આવી હતી, પરંતુ હવે અંતિમ તબક્કામાં 7 જેટલી બેઠકો પર ગઢબંધન થાય તેવી શક્યતાઓ છે.

NCP માટે નરોડા બેઠક પર નિકુલ સિંહ તોમર શા માટે નિકુલસિંહ તોમરની વાત કરીએ તો, આવે તો નિકુલસિંહ (Nikulsinh Tomar NCP) અત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં કોર્પોરેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે કૉંગ્રેસ સાથેના ગઢબંધનથી પૂર્વ વિસ્તારમાં કોર્પોરેટ બન્યા છે. જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) પણ કૉંગ્રેસ પક્ષ તરફથી નરોડા વિધાનસભા પરથી ચૂંટણી લડ્યા હતા, જેમાં નિકુલસિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત નરોડા વિધાનસભા વિસ્તારમાં પરપ્રાંતીય સંખ્યા વધુ છે. ત્યારે કોરોના સમયે મેઘાણીનગર વિસ્તારમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી અને સ્વખર્ચે બે સમયના ખોરાક સાથે પરપ્રાંતિઓને ખાનગી બસ મારફતે નિઃશુલ્ક પોતાના ઘરે પહોંચાડી દીધા હતા.

ઉમરેઠ વિધાનસભા માટે જયંત બોસ્કી જયંત બોસ્કીની વાત કરીએ તો, NCPના અધ્યક્ષ જયંત બોસ્કી (Jayant Patel Boskey NCP) ઉમરેઠ વિધાનસભાથી (Umreth Assembly Seat) છેલ્લા અનેક વર્ષોથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓની કારની હાર થઈ હતી અને જ્યારે વર્ષ 2012 ની વિધાનસભા બેઠક પર જયંત બોસકી વિજેતા બન્યા હતા ત્યારે જે તે સમયે જયંત પટેલની રજૂઆત બાદ ઉમરેઠ માટે 108 એમ્બ્યુલન્સ ફાળવાઈ હતી. અને સ્થાનિક દિગ્ગજ નેતામાં પણ તેઓનું નામ અગ્રેસર છે.

કાંધલ જાડેજા, સૌરાષ્ટ્રની એક માત્ર બેઠક, જ્યાં ભાજપ અને કૉંગ્રેસ બંને હારે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) સૌરાષ્ટ્રની તમામ બેઠકો બંને પક્ષો માટે મહત્વની હોય છે, પરંતુ પોરબંદરની કુતિયાણાની વિધાનસભાની બેઠક (Kutiyana Assembly Seat) પર ભાજપ અને કૉંગ્રેસ બંનેના એક પણ ઉમેદવાર હજી સુધી ક્યારેય જીત્યા નથી જ્યારે વર્ષોથી અને સતત છેલ્લા કેટલાય ટર્મથી કુતિયાણા વિધાનસભાથી એનસીપીના નેતા કાંધલ જાડેજા સતત જીતી રહ્યા છે. ત્યારે આ બેઠક પર પણ કૉંગ્રેસે ગઠબંધન કર્યું છે. જ્યારે વર્ષ 2011 સંતોકબેન જાડેજાનું વર્ષ 2011માં નિધન થતાં રાજકીય ઉત્તરાધિકારી તરીકે કાંધલ જાડેજા નિમાયા હતા આ ઉપરાંત કાંધલ જાડેજા (Kandhal Jadeja NCP) છેલ્લા બે ટર્મથી એનસીપી માંથી ચૂંટાઈ રહેલા ધારાસભ્ય છે.

11 બેઠકો માટેની ચર્ચા સામે કૉંગ્રસે 3 બેઠક નક્કી કરી, વધુ 2 બેઠક માટે ચર્ચા ચાલુ એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધન (congress ncp alliance) બાદ એનસીપી દ્વારા ગુજરાતમાં પોતાના 10થી 11 ઉમેદવાર ઊભા રાખવા માટેની તૈયારી કરવામાં આવી હતી. તેની સામે કૉંગ્રસે 3 બેઠક માટે હાલ સંમતિ દર્શાવી છે. જ્યારે વધુ 2 બેઠક દેવગઢબારિયા અને ગોંડલ અથવા માણાવદર માટે ચર્ચા ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.