ETV Bharat / city

ભાવનગર એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત, હેલિકોપ્ટરમાં મોરારી બાપુને મળવા પહોંચ્યા

author img

By

Published : Oct 28, 2021, 10:21 PM IST

Updated : Oct 29, 2021, 12:25 PM IST

2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે શુક્રવારે સવારે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમના સ્વાગત બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે મહુવા સ્થિત મોરારી બાપુના નિવાસસ્થાને જવા નીકળ્યા હતા.

ભાવનગર એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત, હેલિકોપ્ટરમાં મોરારી બાપુને મળવા પહોંચ્યા
ભાવનગર એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત, હેલિકોપ્ટરમાં મોરારી બાપુને મળવા પહોંચ્યા

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા ભાવનગર
  • મેયર, કલેક્ટર સહિતના હોદ્દેદારો દ્વારા કરાયું સ્વાગત
  • એરપોર્ટથી સીધા મહુવા જવા માટે રવાના થયા

ભાવનગર : આજે શુક્રવારે સવારે 11:45 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અમદાવાદથી ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી તેમજ ભાવનગરના કલેક્ટર અને મેયર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે મહુવા સ્થિત મોરારી બાપુના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે આવાસોનું લોકાર્પણ

શુક્રવારે રામનાથ કોવિંદ મહુવામાં મોરારી બાપુ(Morari Bapu)નાં ઘરે પહોંચશે ત્યારબાદ બપોરે ચિત્રકૂટધામની મુલાકાત લઈ ભાવનગર પરત ફરશે. ભાવનગરમાં સુભાષનગર ખાતે મુખ્યમંત્રી આવાસ હેઠળ 1088 મકાનો બનાવવામાં આવ્યા છે. આ મકાનો 63 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યાં છે. સુભાસનગરનાં હમીરજી ઓર્ક પાસે બનેલા આવાસોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા પાંચ લોકોને પ્રતીકાત્મક ચાવી આપીને આવાસો એનાયત કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમ સાંજે 3.30 કલાકે આવાસનાં સ્થળ પર યોજવામાં આવશે.

લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત

આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યપ્રઘાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય શિક્ષણ પ્રઘાન જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. કાર્યક્રમની તૈયારીઓ મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રી રોકાણ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કરશે અને સવારે 10 કલાકે પુનઃ દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચો : Happy Diwali In Gujarat: રાત્રે 1થી સવારના 5 સુધી જ કર્ફ્યૂ રહેશે, અનેક છૂટછાટ અપાઈ

આ પણ વાંચો : પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ અંબાજી ખાતે યોજેલ મહાયજ્ઞની આજે કરાઇ પૂર્ણાહુતી

Last Updated :Oct 29, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.