Bhagwat Saptah in Bhavnagar : રમેશ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન, ભીખુદાન ગઢવી જેવા કલાકારો ડાયરામાં પાથરશે લોકરસ

author img

By

Published : Nov 27, 2021, 3:11 PM IST

Bhagwat Saptah in Bhavnagar : રમેશ ઓઝાની યોજાશે, ભીખુદાન ગઢવી જેવા કલાકારો ડાયરામાં પાથરશે લોકરસ
Bhagwat Saptah in Bhavnagar : રમેશ ઓઝાની યોજાશે, ભીખુદાન ગઢવી જેવા કલાકારો ડાયરામાં પાથરશે લોકરસ ()

ભાવનગરમાં(Bhavnagar City) બે વર્ષ પછી જાહેર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર માલધારી સમાજ અને માલધારી પરિવારે રમેશ ઓઝા(Ramesh Ojha Katha) કથાકારની શ્રીમદ ભાગવત સપ્તાહ(Bhagwat Saptah in Bhavnagar) જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને પગલે નિમંત્રીત સંખ્યાને સ્થાન આપવામાં આવ્યું છે.Planning of Ramesh Ojha's story

  • ભાવનગરમાં રમેશ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
  • માલધારી સમાજના એક પરિવારે પિતૃક મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન
  • 28 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી વિજયરાજનગરમાં ભાગવત સપ્તાહનું આયોજન
  • ડાયરાના આયોજન સાથે મેરામણ ગઢવી અને ભીખુદાન ગઢવી જેવા કલાકારોની હાજરી

ભાવનગરઃ કોરોનાકાળના બે વર્ષ વીત્યા બાદ કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. માલધારી સમાજના એક પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે કથાકાર રમેશ ઓઝાની(Ramesh Ojha Katha) ભાગવત સપ્તાહનું આગામી 28 નવેમ્બરથી શહેરના આયોજન કરવામાં આવ્યું છે. કથા સાથે રાત્રીના સમયે ડાયરાઓ ત્રણ દિવસ યોજશે અને ભીખુદાન ગઢવી(Artist Bhikhudan Gadhvi) અને મેરામણ ગઢવી લોક સાહિત્યનો(Lok Sahitya Gujarati) રસ પાથરશે.

ભાવનગરમાં રમેશ ઓઝાની ભાગવત સપ્તાહનું બે વર્ષ બાદ આયોજન

ભાવનગર શહેરમાં(Bhavnagar City) રમેશ ઓઝા કથાકારની ભાગવત સપ્તાહનું(Bhagwat Saptah in Bhavnagar) આયોજન માલધારી સમાજના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના માલધારી સમાજના પ્રતિષ્ઠિત સુરેશ રાઠોડ, ગોવિંદ રાઠોડ અને ભરત રાઠોડે પોતાના માતાપિતાના મોક્ષાર્થે કથાકાર રમેશ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન શહેરના વિજયરાજનગરમાં પ્રગતિ મંડળની વાડીમાં કર્યું છે.

Bhagwat Saptah in Bhavnagar : રમેશ ઓઝાની યોજાશે, ભીખુદાન ગઢવી જેવા કલાકારો ડાયરામાં પાથરશે લોકરસ

સપ્તાહનો સમય તારીખ, શું કાર્યક્રમ

ભાવનગર વિજયરાજનગરમાં રહેતા રાઠોડ પરિવારના ઘરેથી 28 તારીખે પોથીયાત્રા નીકળ્યા બાદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે. 28મી નવેમ્બરથી 4મી ડિસેમ્બર સુધી કથા ચાલશે. બાવળીયાળી પૂજ્ય સંત ઈશુંબાપુ અને ગાદીપતિ રામબાપુની પ્રેરણાથી આયોજન થનાર છે. 28 નવેમ્બરે પોથીયાત્રા બાદ 1મી ડિસેમ્બરના રોજ કૃષ્ણ જન્મોત્સવ, 2મી ડિસેમ્બરના રોજ ગોવર્ધન પૂજા(Govardhan Puja), 3મી ડિસેમ્બરના શ્રી રૂક્ષ્મણી વિવાહ યોજવામાં આવશે. આ સિવાય રાત્રીના 7.30 કલાકે 29 નવેમ્બરે ડાયરાનું આયોજન જેમાં કલાકાર મેરામણ ગઢવી, બિરજુ બારોટ જેવા કલાકારો સાહિત્ય પીરસસે તો 1મી ડિસેમ્બરના રાત્રે ભીખુદાન ગઢવી, પરેશદાન ગઢવી ડાયરામાં રંગ પુરશે તો છેલ્લે 3/મી ડિસેમ્બરના છેલ્લા દિવસે રાત્રે દેવાયત ખવડ અને અન્ય કલાકારો પોતાની કલા પીરસશે. આ સિવાય ભાગવત સપ્તાહ અને ડાયરામાં નિમંત્રીત લોકોને આમંત્રિત કરીને કોરોના ગાઈડલાઈન પ્રમાણે અંતર રાખી માસ્ક અને સેનીટાઇઝરના સથવારે ભાગવત સપ્તાહ તેમજ કાર્યક્રમો પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નેપાળના પરિવારે દ્વારકામાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું

આ પણ વાંચોઃ દરેક વ્યક્તિ જયશ્રી રામનો નારો લગાવે છે, પરંતુ વ્યક્તિએ તેમના જેવું વર્તન પણ કરવું જોઈએ: ભાગવત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.