મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર ઉભુ કરાયું

author img

By

Published : Nov 23, 2021, 1:49 PM IST

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર ઉભુ કરાયું

વિશ્વમાં દરેક દેશો આગળ વધી રહ્યા છે ત્યારે તેની પાછળનું કારણ હંમેશા સંશોધન હોઈ છે. ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી(maharaja krishnakumarsinhji bhavnagar university) રિસર્ચ ક્ષેત્રે વિદ્યાર્થી અને નવા પ્રાધ્યાપકોમાં સંશોધન ક્ષેત્રે પ્રેરણા તેમજ ભાવના કેળવવા માટે રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર(Research Facilitation Student) ઉભું કર્યું છે. વિદ્યાર્થીઓ માટે રિસર્ચ કેમ કરવું શીતનું માર્ગદર્શન આપી દિશા નિર્દેશ પૂરું પાડશે.

  • ભાવનગર યુનિવર્સીટીએ રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર બનાવ્યું નવા મળશે સંશોધનકારો
  • દરેક વિભાગના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સંશોધન કરી શકે માટે મળશે દિશા નિર્દેશ
  • Pet ના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે આગામી દિવસોમાં વર્કશોપનું આયોજન
  • રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર વર્કશોપ કરી રિસર્ચ કરનારમાં જિજ્ઞાસા, તડપ કરશે ઉભી

ભાવનગરઃ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી(maharaja krishnakumarsinhji bhavnagar university) રિસર્ચ ક્ષેત્રે વિદ્યાર્થી(Student in the field of research) અને નવા પ્રાધ્યાપકોમાં સંશોધન ક્ષેત્રે પ્રેરણા તેમજ ભાવના કેળવવા માટે રિસર્ચ ફેસિલિટેશન(Research Facilitation Student) સેન્ટર ઉભું કર્યું છે. આ સેન્ટર આગામી માસથી વર્કશોપો કરશે અને દરેક વિષયના વિભાગના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ કેમ કરવું શીતનું માર્ગદર્શન આપી દિશા નિર્દેશ પૂરું પાડશે.

વિશ્વમાં દરેક દેશો આગળ વધી રહ્યા છે ત્યારે તેની પાછળનું કારણ હંમેશા સંશોધન હોઈ છે. ત્યારે ભાવનગર યુનિવર્સીટી વિદ્યાર્થીઓ(Bhavnagar University students)અને નવા પ્રાધ્યાપકોમાં સંશોધનાત્મક વિચાર કેળવાય અને આગામી દીવસોમાં જુદા જુદા વિષયો પર સંશોધન કરવા માંગનાર વ્યક્તિને એક દિશા મળી રહે તેવા હેતુથી યુનિવર્સીટીએ રિસર્ચ ફેસીલીટેશન(Bhavnagar University Research Facility) સેન્ટર બનાવ્યું છે. જે આગામી દિવસોમાં કાર્યક્રમો થકી નવા સંશોધન કરનારને પ્રેરણારૂપી બની દિશાસુચક બનશે.

યુનિવર્સીટીનું રિસર્ચ ફેસીલીટેશન સેન્ટર હવે રિસર્ચ કેમ કરવું તે શીખવશે

ભાવનગર યુનિવર્સીટીએ રિસર્ચ ફેસિલિટેશન સેન્ટરનો પ્રારંભ કર્યો છે. નેક,GSFIR અને NIRF એ સાત ક્રાઈટેરિયા ઉપર કામ કરે છે જેમાનું એક રિસર્ચ છે. યુનિવર્સીટીના પ્રાધ્યાપક નવા હોઈ તેવા અને વિદ્યાર્થીઓ કે જેને પોતાના વિષયમાં એમ થાય કે મારે કશું શોધવું છે અથવા સંશોધન કરવું છે તો બસ ભાવના સાથે સંશોધન ક્ષેત્રમાં આગળ શકાય છે. કારણ કે યુનિવર્સીટીએ હવે રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે જે સંશોધનાત્મક વિચારવાળા(Innovative thinking) વ્યક્તિને દિશા નિર્દેશ પૂરું પાડશે.

યુનિવર્સીટી હવે રિસર્ચ ક્ષેત્રે ભૂખ, જિજ્ઞાસા અને તડપ ઉભી કરશે સંશોધનાત્મક વ્યક્તિમાના

ભાવનગર યુનિવર્સીટીમાં અનેક વિષયો અને તેના વિભાગો છે. ત્યારે તેમાં શિક્ષણ(Bhavnagar University Education) આપતા પ્રાધ્યાપક જે નવા હોઈ અને વિદ્યાર્થીઓ જેને રિસર્ચ ક્ષેત્રે આગળ લાવવા યુનિવર્સીટીએ એક સેન્ટર બનાવ્યું છે. યુનિવર્સીટીના ડૉ. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, petની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર માટે પ્રથમ રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર એક વર્કશોપ યોજવા જાઇ રહી છે. રિસર્ચ કરવા માંગતા વિદ્યાર્થીઓ જેમાં ચાર વિભાગ ભાષા, સોસીયલ સાયન્સ, પ્યોર સાયન્સ, મેડિકલ અને પેરા મેડિકલ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. દરેક ભવન અને સંશોધન કરવા માંગતા વિદ્યાર્થીમાં ભૂખ, જિજ્ઞાસા અને તડપ ઉભી કરવાનો પ્રયત્ન છે રિસર્ચ કેમ કરવું, રિસર્ચ પેપર કેમ બનાવવો, ડેટા કલેક્શન, સ્ટેટેસ્ટીક એનાલિસિસ, રિસર્ચ પ્રપોઝલ વગેરે દિશા ફેસિલિટેશન સેન્ટર પરથી માર્ગદર્શન આપવામાં આવશે.

સમાજને પોતાનું સંશોધનથી પ્રદાન કરવાની ભાવના કેળવવા પ્રયાસ

ભાવનગર યુનિવર્સીટીના દરેક વિભાગમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓમાં રિસર્ચ કરવાની ભાવનાને આગળ લઈ જવા રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર(Research Center in University Students) બનાવવામાં આવ્યું છે. રિસર્ચ ફેસિલિટેશન સેન્ટરના અધ્યક્ષ જેપી મજમુદારે જણાવ્યુ હતું કે, ટીચિંગ ઉપરાંત સમાજ માટે પ્રાધ્યાપક અને વિદ્યાર્થીએ સંશોધન પ્રદાન કરવું જોઈએ, એટલે કે રિફાઇમેન્ટ લાવવાની જરૂર છે. કઈ રીતે રિસર્ચમાં આવવું ? નવા પ્રાધ્યાપકોને પેપર તૈયાર કરવા, રિસર્ચ ફેસિલિટેશન સેન્ટરથી ગુણવત્તા આવશે તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ(Skill development) સંશોધન કરનારમાં આવશે અને સમાજને ફાયદો થશે.

આ પણ વાંચોઃ કંગનાએ કહ્યું કૃષિ કાયદો પાછો ખેંચવાનો નિર્ણય ખોટો, ઈન્દિરા ગાંધીને યાદ કરીને ફરી ઉઠ્યો વિવાદ

આ પણ વાંચોઃ 'આસિયાન સંમેલન'માં જિનપિંગે કહ્યું- ચીન નથી ઇચ્છતુ દક્ષિણ-પૂર્વ એશિયા પર પ્રભુત્વ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.